મોરબીમાં બેટરીના પાણીની આડમાં દારૂની 1248 બોટલ મંગાવનાર રાજકોટના શખ્સની ધરપકડ ચોંકાવનારો બનાવ: ઇન્સ્ટગ્રામથી મેસેજ કર્યો હોવાની શંકાએ સગીર વિદ્યાર્થીને વિદ્યાર્થિનીના પિતા સહિત ૧૦ જેટલા લોકોએ મોરબીમાં ખાનગી શાળાના પટાંગણમાં માર માર્યો મોરબીનું ગૌરવ : બંસીબા દિવ્યરાજસિંહ રાણાએ ફેન્સીંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો મોરબીના બાયપાસ રોડે ખાડા, સ્ટ્રીટ લાઇટ અને ગટરના પ્રશ્નો ઉલેકવા માટે મુખાયમંત્રીને કરી રજૂઆત   મોરબીના મચ્છુ-2 ડેમ પાસે પાણીમાં ડૂબી ગયેલ સગીરનો 45 કલાકે મૃતદેહ મળ્યો મોરબીમાં આસ્વાદ પાનથી અર્શ બેકરી સુધીનો રસ્તો નવ દિવસ માટે બંધ મોરબી શહેર સ્વછ રહે તે માટે કલસટર-5 માં કમિશનરની વિઝિટ મોરબી ઓમશાંતિ વિદ્યાલયના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની સાર્થક વિદ્યામંદિરનો દિવાળીના ત્યોહારોમાં ધડાકો રાજ્યમાં નૃત્ય નાટીકા( ભવાઈ વેશ) માં દ્વિતીય ક્રમે


SHARE













મોરબીની સાર્થક વિદ્યામંદિરનો દિવાળીના ત્યોહારોમાં ધડાકો રાજ્યમાં નૃત્ય નાટીકા( ભવાઈ વેશ) માં દ્વિતીય ક્રમે

ફરી એક વખત સંસ્કૃતિના જતન માટે સાર્થક અગ્રેસર, સમગ્ર રાજ્યમાં નૃત્ય નાટીકા( ભવાઈ વેશ) માં સાર્થક વિદ્યામંદિર દ્વિતીય ક્રમાંકે

ગુજરાત સરકારના રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી દ્વારા બાળ નાટ્ય/નૃત્ય નાટીકા સ્પર્ધાનું આયોજન થયેલ.જેમાં સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાચીન ભવાઈ વેશ *"જસમા ઓડણ"* રજૂ કરવામાં આવ્યો હતો.જેમાં બાળ કલાકારોએ પોતાની આગવી કલાથી ઉત્તમ ભાવ પ્રગટ કર્યા અને સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો છે.આ સમગ્ર નૃત્ય નાટીકાના ડાયરેક્ટર સાર્થક વિદ્યામંદિરના રવિરાજભાઇ પૈજા છે.જેઓએ વિદ્યાર્થીઓને સમગ્ર તૈયારી કરાવી હતી.

સત્ય ઘટના ઉપર આધારિત આ નૃત્ય નાટીકાના સંવાદ અને સંગીત લખનાર અને નાટકના દિગ્દર્શક મોરબીના જાણીતા કલાકાર પ્રાણજીવનભાઈ વ્યાસ છે.સાર્થક પરિવાર અને સમગ્ર મોરબી જિલ્લા માટે આ આનંદ અને ગર્વની ક્ષણ છે.








Latest News