વાંકાનેર-રાજકોટ હાઇવે પરના ટાટીયા તોડ સ્પીડ બ્રેકરો જીવલેણ બને તે પહેલા તંત્ર સફેદ પટ્ટા-રેડિયમ રિફલેકટર મૂકવાની માંગ મોરબીમાં નવલખી ફાટક પાસેથી દારૂ ભરેલ ગાડી સાથે મહિલા પકડાઈ, 4.30 લાખનો મુદામાલ કબ્જે: એક આરોપીની શોધખોળ મોરબીમાં વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મોરબી: પરપ્રાંતિય કર્મચારીઓ-મજૂરોની વિગતો ૭ દિવસમાં પોલીસ સ્ટેશનમાં આપવા જાહેનામું પ્રસિદ્ધ મોરબી ઇન્ડિયન લાયોનેસ કલબ દ્વારા આર્ટ એન્ડ ક્રાફ્ટના ક્લાસીસનું આયોજન કરાયું મોરબી: ગુજરાતમાં પીટીસીમાં એડમીશન માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ હેરાન પરેશાન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે કર્મયોગીઓએ શપથ ગ્રહણ કર્યા


SHARE



















મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે કર્મયોગીઓએ શપથ ગ્રહણ કર્યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અનુસાર સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આપણા લોખંડી પુરુષ અને મહાન સ્વાતંત્ર્ય સેનાની એવા સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મજયંતિ નિમિતે દર વર્ષે રન ફોર યુનિટી, શપથ ગ્રહણ, સ્પોર્ટસ એક્ટિવિટી જેવા અનેક કાર્યક્રમોનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે.જેના ભાગરૂપે આજરોજ તારીખ ૩૦ ઓક્ટોબરના રોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે કર્મયોગીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. જેમાં ભારતની એકતા અને અખંડિતતા જાળવવાના સૌએ શપથ ગ્રહણ કર્યા હતા.ઉકત કાર્યક્રમમાં જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી, નાયબ કલેકટર દુદકીયા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, તમામ શાખાના જે- તે સંબંધિત અધિકારીગણ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. 

માહિતી કચેરીના કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે શપથ ગ્રહણ કર્યા

મોરબી જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓ દ્વારા દરેક વિશેષ દિવસોનું ખાસ આયોજન કરવામાં આવતું હોય છે.જેના ભાગરૂપે મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક સુશ્રી પારૂલબેન આડેસરાની ઉપસ્થિતિમાં સર્વે કર્મયોગીઓએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે શપથ ગ્રહણ કર્યા હતા.ઉપસ્થિત સર્વે કર્મયોગીઓએ આપણા ભારતની એકતા અને અખંડિતતા, એકતા અને વિશ્વશાંતિના સંદેશને મહત્તમ પ્રચાર પ્રસાર કરવા અંગે કટિબદ્ધતા દર્શાવી હતી.જેમાં અત્રેની કચેરીના માહિતી મદદનીશ સુશ્રી જે.કે.મહેતા, માહિતી મદદનીશ બી.એન.જાડેજા, બી.વી.ફૂલતરીયા, પ્રવીણ સનાળીયા,  આનંદ ગઢવી, જય રાજપરા, જયેશ વ્યાસ, કિશોરપરી ગોસ્વામી અને  અજય મુછડીયા હાજર રહયા હતા






Latest News