મોરબીમાં આસ્વાદ પાનથી અર્શ બેકરી સુધીનો રસ્તો નવ દિવસ માટે બંધ
SHARE
મોરબીમાં આસ્વાદ પાનથી અર્શ બેકરી સુધીનો રસ્તો નવ દિવસ માટે બંધ
મોરબીમાં આસ્વાદ પાનથી અર્શ બેકરી સુધીના રસ્તા ઉપર ડ્રેનેજ લાઈન નાખવામાં આવી રહી છે જેથી કરીને તે રોડને નવ દિવસ સુધી બંધ કરવામાં આવેલ છે. અને વાહન ચાલકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા મનપાના અધિકારી જણાવ્યુ છે.
મોરબી શહેરને મહાનગરપાલિકાનો દરજજો મળ્યા બાદ એક બાદ એક વિકાસના કામો શરુ થઇ રહ્યા છે જેમાં અગાઉના શહેરના મુખ્ય માર્ગો બનાવાયા બાદ હવે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આસ્વાદ પાનથી અર્શ બેકરી (લાતી પ્લોટ મેઈન રોડ જંકશન) સુધી ડ્રેનેજ લાઈન નાખવામાં આવી રહી છે જેથી કરીને આ રોડને તા. ૧૮/૦૨ થી ૨૬/૦૨ સુધી બંધ કરવામાં આવેલ છે અને વાહન ચાલકોને તેમજ મોરબીના લોકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા માટે મનપાની અખબારી યાદીમાં જણાવ્યુ છે.