ભારત સરકાર દ્વારા અમેરિકા સાથે કરાયેલ ટ્રેડ ડીલને રદ કરવાની મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની માંગ મોરબીમાં અરૂણોદયનગર પાસે આવેલા બાલા હનુમાન મંદિરનો પાટોત્સવ ઉજવાયો મોરબીના બહાદુરગઢ પાસે કારખાનામાં આગ, લાખોનું નુકશાન મોરબી સબ જેલમાંથી મળી આવેલ બંને મોબાઈલ ફોનમાં કયા નંબરના સિમ કાર્ડનો ઉપયોગ થયો ?, કોણે-કોણે ઉપયોગ કર્યો તે દિશામાં તપાસનો ધમધમાટ વાંકાનેરના ધારાસભ્યના હસ્તે પરાપીપળીયા-ખંઢેરી વચ્ચેના નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું મોરબીમાં ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા એક યુવાનને સાથળ, ગોળા અને કમરમાં ફેક્ચર મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી પદે નિર્મલભાઇ જારીયાની વરણી થયા ઢોલ નગારા સાથે તેઓના નિવાસ સ્થાને આતિશબાજી મોરબીના બાયપાસ રોડેથી માઠા પ્રસંગમાં જઇ રહેલા બે કૌટુંબિક ભાઈના સ્કૂટર અજાણી કારના ચાલકે હડફેટે લેતા અકસ્માત: એકને માથામાં હેમરેજ
Breaking news
Morbi Today

ભારત સરકાર દ્વારા અમેરિકા સાથે કરાયેલ ટ્રેડ ડીલને રદ કરવાની મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની માંગ


SHARE













ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી અમેરિકા સાથેની ટ્રેડ ડીલ દેશના સાર્વભૌમત્વ, આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઉભો કરે છે. આ ડીલ દ્વારા ખેતી, પશુપાલન, ટેક્સટાઈલ, હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રોનું ભવિષ્ય જોખમમાં મૂકવામાં આવ્યું છે. અને ડેરી ઉત્પાદનોને ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી સાથે ભારતમાં આયાત કરવાની છૂટ આપવામાં આવે તો તે ભારતના પશુપાલકો માટે ઘાતક સાબિત થઈ શકે છે. જેથી કરીને આમ આદમી પાર્ટીના પ્રભારી અને પ્રમુખની આગેવાની હેઠળ આજે મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

જો અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને ભારતના બજારમાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે અને બીજી તરફ ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં ડ્યુટી લાગુ રહેશે, તો ટેક્સટાઈલ ઉદ્યોગ સહિતના ક્ષેત્રો પર ગંભીર અસર પડશે. અને ટેક્સટાઈલ ઉદ્યોગ ન ટકે તો કપાસની ખેતી પણ અસરગ્રસ્ત થશે, જે ખેડૂતો માટે આર્થિક સંકટ સર્જી શકે છે. ભારત સરકાર ટ્રેડ ડીલની તમામ વિગતો પારદર્શક રીતે જાહેર કરી રહી નથી, જ્યારે અમેરિકાના કૃષિ મંત્રીએ ખુલ્લેઆમ નિવેદન આપ્યું છે કે અમેરિકન ખેડૂતો અને પશુપાલકો માટે વિશાળ ભારતીય બજાર ખોલવામાં આવ્યું છે. આ બાબતનો મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવેલ છે અને આ ટ્રેડ ડીલને રદ્દ કરવાની માંગણી કરવામાં આવી છે. જો આ ડીલ રદ ન થઈ તો, આમ આદમી પાર્ટી એક જવાબદાર રાષ્ટ્રીય પક્ષ તરીકે તેઓ આ ટ્રેડ ડીલના સંભવિત નુકસાન અંગે જનતાને માહિતગાર કરશે અને દેશના ખેડૂતો, પશુપાલકો અને ઉદ્યોગોને બચાવવા માટે રાજ્યવ્યાપી કાર્યક્રમો અને આંદોલન કરશે. તેવી ચીમકી ઉચ્ચારી છે. આ તકે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રભારી પંકજભાઈ રાણસરીયા, મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઈ પટેલ, પ્રદેશના આગેવાન કે.ડી. બાવરવા સહિતના આપના અગ્રણીઓ હાજર રહ્યા હતા








Latest News