મોરબીમાં બેટરીના પાણીની આડમાં દારૂની 1248 બોટલ મંગાવનાર રાજકોટના શખ્સની ધરપકડ ચોંકાવનારો બનાવ: ઇન્સ્ટગ્રામથી મેસેજ કર્યો હોવાની શંકાએ સગીર વિદ્યાર્થીને વિદ્યાર્થિનીના પિતા સહિત ૧૦ જેટલા લોકોએ મોરબીમાં ખાનગી શાળાના પટાંગણમાં માર માર્યો મોરબીનું ગૌરવ : બંસીબા દિવ્યરાજસિંહ રાણાએ ફેન્સીંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો મોરબીના બાયપાસ રોડે ખાડા, સ્ટ્રીટ લાઇટ અને ગટરના પ્રશ્નો ઉલેકવા માટે મુખાયમંત્રીને કરી રજૂઆત   મોરબીના મચ્છુ-2 ડેમ પાસે પાણીમાં ડૂબી ગયેલ સગીરનો 45 કલાકે મૃતદેહ મળ્યો મોરબીમાં આસ્વાદ પાનથી અર્શ બેકરી સુધીનો રસ્તો નવ દિવસ માટે બંધ મોરબી શહેર સ્વછ રહે તે માટે કલસટર-5 માં કમિશનરની વિઝિટ મોરબી ઓમશાંતિ વિદ્યાલયના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

અનોખી ઉજવણી: વાધગઢના ખેડૂતએ ધર્મપત્નીના સ્મરણાર્થે  એક લાખ રૂપિયા ગામની પ્રાથમિક શાળામાં આપ્યા  


SHARE













અનોખી ઉજવણી: વાધગઢના ખેડૂતએ ધર્મપત્નીના સ્મરણાર્થે  એક લાખ રૂપિયા ગામની પ્રાથમિક શાળામાં આપ્યા  

વાધગઢના રહીશ ખેડૂત માવજીભાઈ રુગનાથભાઈ દલસાણીયાની ધર્મપત્ની સ્મૃતિશેષ હેમીબના સ્મરણાર્થે પોતાના ગામ એટલે કે વાઘગઢ ગામના બાળકોને તથા શ્રમયોગી બાળકોને સારામાં સારૂ શિક્ષણ અને સારામાં સારી ભૌતિક સુવિધા  મળી રહે તેવા શુભ ઉદ્દેશ્યથી દિવાળીના ખોટા ખર્ચા કરવાની જગ્યાએ સરકારી શાળા ને ધબકતી રાખવા માટે અને સામાજિક સમરતા જળવાઈ રહે, શ્રમયોગી પરિવારના બાળકો પણ સારામાં સારૂ શિક્ષણ અને ભૌતિક સુવિધા ભોગવી શકે અને જીવનમાં શિક્ષણ થકી સારા નાગરિક બની ખૂબ સુખી થાય તેવા ઉદેશ્યથી રૂપિયા એક લાખ પુરાનો ચેક માવજીબાપા દ્રારા વાઘગઢ પ્રાથમિક શાળાને અર્પણ કરેલ છે

 આ તકે માવજી બાપા નું તેમજ તેમના પુત્ર નરેશભાઈ અને મહેશભાઈ ની સાથે પુરા દલસાણીયા પરિવારનો ગામ તથા શાળા પરિવાર દ્રારા આભાર માનવામાં આવે છે . ખૂબ જ પ્રેરણાદાયી કાર્ય એક ખેડૂત દ્વારા પોતાની ગામની પ્રાથમિક શાળા માટે આવડું મોટું દાન ખરેખર અનુકરણીય અને પ્રશસંનીય  કાર્યને કહેવાય. આમ વાઘગઢ ગામ અને શાળા હંમેશા વૃક્ષારોપણ, સમાજસેવા ,રાષ્ટ્રસેવા, સ્વચ્છતા, આરોગ્યને લઈ અવનવા  પ્રેરણાદાયી કાર્ય થતા જોવા મળે છે. નવા સત્રની શરૂઆતમાં જ શ્રી માવજીભાઈ અમરશીભાઈ દલસાણીયા દ્રારા  શાળાના બાળકોને બે બે જોડી યુનિફોર્મની ભેટ આપવામાં આવેલ.  તાજેતર માંજ મોરબી જિલ્લાનું સ્વચ્છતામાં પહેલા નંબર ઉપર રહી માન્ય ડીડીઓ સાહેબ દ્રારા સન્માન પત્ર સન્માન કરવામાં  આવેલ. આમ માવજીબાપા દ્રારા લોકોને નવી દિશા બતાવીને  દિવાળીની ઉજવણી કરવામાં આવેલ છે.








Latest News