મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ કારખાનામાં ટાંકામાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત


SHARE







મોરબી નજીક આવેલ કારખાનામાં ટાંકામાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામની સીમ વિસ્તારમાં આવેલ પેપર મિલમાં પાણીના ટાંકામાં યુવાન પડી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના બોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ અંબાણી પેપર મીલના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રામપ્રવેશ મોહનભાઈ ઠાકુર (19) નામનો યુવાન રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં લેબર ક્વાર્ટર પાસે આવેલ પાણીના ટાંકામાં કોઈ પણ કારણોસર પડી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનો મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને તેના પિતા મોહનભાઈ ઠાકુર મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં
માળિયા તાલુકાના વવાણીયા ગામે રહેતા શકીનાબેન ઈશામામદ ભટ્ટી (64) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થયું હતું જેથી મહિલા નીચે પટકાતા તેઓને શરીરે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મારા મારીમાં ઇજા
મૂળ ખંભાતના તારાપુરનો રહેવાસી અને હાલમાં મોરબીના બેલા ગામ નજીક આવેલ ખોખરા હનુમાન રોડ ઉપર સદગુરુ વાત્સલ્ય વાટિકા ખાતે રહેતા રોહિત નરેશભાઇ મકવાણા (14) નામના બાળકને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

વૃદ્ધ માતાને દીકરા-પુત્રવધૂએ માર માર્યો
મોરબીના સનાળા ગામ પાસે આવેલ નીતિન નગરમાં રહેતા માનકુવરબા શિવુભા જાડેજા (63) નામના વૃદ્ધાને ઘરે માર મારવામાં આવ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે વૃદ્ધાને તેના દીકર પ્રદિપસિંહ તથા પુત્રવધુ મીનાબાએ વાળ પકડીને ઢસડીને માર માર્યો હોવાથી ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા.






Latest News