મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે ઘરે કંકાસ થતાં પિતાના ઘરે જવાનું કહીને યુવાન ગુમ


SHARE







મોરબીમાં પત્ની સાથે ઘરે કંકાસ થતાં પિતાના ઘરે જવાનું કહીને યુવાન ગુમ

મોરબીના ગુલાબનગર વિસ્તારમાં રહેતા યુવાનને તેની પત્ની સાથે ઘરમાં કંકાસ થયો હતો ત્યારબાદ પિતાના ઘરે જાવ છું તો એવું કહીને નીકળ્યો હતો અને તે યુવાનો ગુમ થઈ ગયેલ છે જેથી ગુમ થયેલા યુવાનના પિતાએ ગુમસુધા ફરિયાદ આપતા મોરબી બી ડિવિઝન પોલીસે ગુમ થયેલા યુવાનને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગર પાસે ગુલાબનગરમાં રહેતા લક્ષ્મણભાઈ ગાંડુભાઈ સોલંકી (44)એ તેનો દીકરો રાહુલ લક્ષ્મણભાઈ સોલંકી (23) ગુમ થયો હોવાની ગુમસુધા ફરિયાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આપેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, રાહુલને તેના પત્ની સાથે ઘરમાં કંકાસ થતા તેને લાગી આવ્યું હતું અને પપ્પાના ઘરે જાવ છું તેવું કહીને નીકળ્યા બાદ તે ગુમ થઈ ગયેલ છે જેથી હાલમાં ગુમ થયેલ યુવાનના પિતાએ નોંધાવેલ ગુમસુધા આધારે પોલીસે યુવાનને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબીમાં વિદ્યુતનગર પાસે વિક્રમ વાડીની બાજુમાં મારામારીના બનાવમાં સુરેશ મગનભાઈ પરમાર (48) નામના યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સારવારમાં

મોરબીમાં રહેતા રેખાબેન ઉપેન્દ્રભાઈ ભીમાણી (40) અને ભીમાણી પાયલ ઉપેન્દ્રભાઈ (17)ને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવેલ હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે.ચાવડા દ્વારા કરવામાં આવી હતી

મારા મારીમાં ઇજા

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા જગદીશ પરસોત્તમભાઈ માનેવાડીયા (23) નામના યુવાનને ત્રાજપર ચોકડી નજીક મારામારીના બનાવમાં માથામાં ઇજા થયેલ હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.

મારા મારીમાં ઇજા

મોરબીમાં સામાકાંઠે મંગલમ વિસ્તારમાં જુના ઘુટુ રોડ ઉપર રહેતા અશોક મનસુખભાઈ માનેવાડિયા નામના યુવાનને ઘરે તેના ભાઈ સાથે મારામારી થઇ હતી જેમાં તેને માથામાં ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

વૃદ્ધા સારવારમાં

ધ્રોલમાં રહેતા ઇન્દિરાબા નિર્મલસિંહ જાડેજા (77) નામના વૃદ્ધા ધ્રોલ નજીકથી બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈકમાંથી તેઓ નીચે પડી જતા તેમને ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસની જાણ કરી હતી ત્યાર બાદ આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવા માટે કવાયત કરેલ છે.






Latest News