કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા હળવદના જુના ઇશનપુર ગામે જમવા બાબતે બોલચાલી કરીને યુવાનને 3 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે ગેરેજ પાસેથી કચરો ઉપાડવાનું કહેતા દુકાનદારને પાવડાના હાથા વડે માર માર્યો ટંકારા નજીક કારખાનામાં કામ દરમ્યાન માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા જ્ઞાતિનું સ્નેહમિલન યોજાયુ


SHARE







મોરબીમાં સતવારા જ્ઞાતિનું સ્નેહમિલન યોજાયુ

શ્રી સતવારા નવગામ જ્ઞાતિ- મોરબી દ્વારા દર વર્ષની જેમ મોરબી વિસ્તારના સતવારા જ્ઞાતિનું વિક્રમ સવંત ૨૦૮૧ના નવા વર્ષ નિમિત્તે, સ્નેહમિલનનું આયોજન  , શ્રી સતવારા નવગામ જ્ઞાતિની જગ્યા, કાલિકા પ્લોટ , રવાપર રોડ-મોરબીમાં યોજવામાં આવેલ.

જેમાં સર્વેનું સ્વાગત અને નવા વર્ષની શુભેચ્છા જ્ઞાતિના પ્રમુખ ડૉ. લખમણભાઈ કંઝારિયાએ પાઠવેલ. શ્રી સમસ્ત સતવારા એન્જિનિયરિંગ એસોસિયેશનના પ્રમુખ એલ.ડી.હડિયલએ શુભેચ્છા પાઠવેલ અને દર માસની ૧૯ તારીખે ફ્રી મોતીયા ઓપરેશન કેમ્પનો લાભ લેવા વિનંતી કરી હતી.શ્રી મોરબી સતવારા મંડળના પ્રમુખ હરિનભાઈ પરમારે આજના સમયમાં સમાજમાં કામ કરવું બહુ અઘરું છે તેની વાત કરી સર્વેને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ ધનજીભાઈ ડાભીએ કર્મચારી મંડળની વિવિધ પ્રવૃત્તિઓની વાત કરી હતી.શ્રી સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડીયલએ સર્વે જ્ઞાતિજનોનો આભાર માન્યો હતો.મોટી સંખ્યામાં જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા






Latest News