મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા જ્ઞાતિનું સ્નેહમિલન યોજાયુ


SHARE











મોરબીમાં સતવારા જ્ઞાતિનું સ્નેહમિલન યોજાયુ

શ્રી સતવારા નવગામ જ્ઞાતિ- મોરબી દ્વારા દર વર્ષની જેમ મોરબી વિસ્તારના સતવારા જ્ઞાતિનું વિક્રમ સવંત ૨૦૮૧ના નવા વર્ષ નિમિત્તે, સ્નેહમિલનનું આયોજન  , શ્રી સતવારા નવગામ જ્ઞાતિની જગ્યા, કાલિકા પ્લોટ , રવાપર રોડ-મોરબીમાં યોજવામાં આવેલ.

જેમાં સર્વેનું સ્વાગત અને નવા વર્ષની શુભેચ્છા જ્ઞાતિના પ્રમુખ ડૉ. લખમણભાઈ કંઝારિયાએ પાઠવેલ. શ્રી સમસ્ત સતવારા એન્જિનિયરિંગ એસોસિયેશનના પ્રમુખ એલ.ડી.હડિયલએ શુભેચ્છા પાઠવેલ અને દર માસની ૧૯ તારીખે ફ્રી મોતીયા ઓપરેશન કેમ્પનો લાભ લેવા વિનંતી કરી હતી.શ્રી મોરબી સતવારા મંડળના પ્રમુખ હરિનભાઈ પરમારે આજના સમયમાં સમાજમાં કામ કરવું બહુ અઘરું છે તેની વાત કરી સર્વેને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.મોરબી જિલ્લા સતવારા કર્મચારી મંડળના પ્રમુખ ધનજીભાઈ ડાભીએ કર્મચારી મંડળની વિવિધ પ્રવૃત્તિઓની વાત કરી હતી.શ્રી સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળના પ્રમુખ ગોવિંદભાઈ હડીયલએ સર્વે જ્ઞાતિજનોનો આભાર માન્યો હતો.મોટી સંખ્યામાં જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા






Latest News