મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપર વાહન અકસ્માતમાં ચારને ઇજા


SHARE







મોરબીના જેતપર રોડ ઉપર વાહન અકસ્માતમાં ચારને ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ચાર લોકોને ઈજા થતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. 

વધુમાં તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે જેતપર રોડ ઉપર આવેલા સાપર ગામ પાસે બનેલ વાહન અકસ્માતના બનાવમાં રમેશભાઈ ડાયાભાઈ પરમાર (૨૯) રહે.ગાયત્રીનગર મોરબી, અજય મેવાડા (૨૨) રહે.લોટો સીરામીક બેલા ગામ પાસે, પ્રમોદ મંગલ (૧૮) રહે.લોટો સીરામીક બેલા પાસે તથા ટીનુભાઈ ખાવડાભાઈ નાયક (૨૦) રહે.વાઘપર (પીલુડી) વાળાઓને ઇજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.બી. પરમાર દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

દાજી જતા સારવારમાં

મોરબીમાં શનાળા ગામે રહેતા ખીમજીભાઈ ભલાભાઇ સોલંકી નામના ૫૫ વર્ષના આધેડ તેઓના ઘરે કોઈ કારણોસર દાઝી ગયા હતા.જેથી કરીને તેમને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ છે.જે બનાવની આગળની તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. ઝપાઝપી અંગે ફરિયાદ નોંધાઇ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ડાયમંડ બેકરી પાસે બોલાચાલી ઝઘડાનો બનાવ બન્યો હતો.જેમાં ભાવિનભાઈ રમેશભાઈ બકરાણીયા મિસ્ત્રી (ઉંમર ૩૩) રહે.રવાપર રોડ નવજીવન સ્કૂલ પાસે વાળાએ સામેવાળા પુષ્પરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા રહે.કાલિકા પ્લોટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તેમાં જણાવ્યું હતું કે, ઝઘડો કરીને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.જે બાબતે બીટ વિસ્તારના જમાદાર જયપાલસિંહ ઝાલા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીની શનાળા ચોકડીથી આગળ પગપાળા જઈ રહેલા માહિર વિશાલભાઈ પરમાર (ઉમર ૪) તથા વિશાલભાઈ જગદીશભાઈ પરમાર (ઉમર ૨૬) બંને રહે.શનાળા મેડિકલ કોલેજ પાસે ને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા.વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટોયોટા કાર દ્વારા તેઓને હડફેટે લેવામાં આવ્યા હતા.જેમાં ઇજીઓ થતા સારવારમાં ખસેડાયા હોય હાલ સ્ટાફના વિપુલભાઈ ફુલતરીયા બનાવની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News