મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
SHARE
મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ
મોરબી મનપાની ટિમ દ્વારા મીઠાઈ ફરસાણના વેપારીઓને ત્યાં અને હોટલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાંથી મળી આવેલ ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવેલ હતો જો કે, 29 દુકાનોમાં ચેકિંગ કર્યું હતું અને 17 જેટલા ધંધાર્થીઓને નોટીસ ફટકારી હતી.
મોરબી મનપાના ફુડ વિભાગ દ્વારા સમયાંતરે મીઠાઈ અને ફરસાણાના વેપારીઓને ત્યાં અને હોટલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવે છે તેવામાં તાજેતરમાં 29 જગ્યાએ ચેકિંગ કર્યું હતું જેમાં વેપારી પાસે લાઇસન્સ છે કે પાણી, ચોખાઈ રાખવામા આવે છે કે નહીં વિગેરે બાબતોને ચેક કરવામાં આવી હતી અને ત્યારે 29 પૈકી 17 વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી. અને મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ વિરાટ પાંવભાજી એન્ડ ચાઈનીઝમાં અખાદ્ય કલરના 3 લીટર તેમજ ધ ચોકલેટ રૂમ અને ભોલે બાબા ડેરી ફાર્મમાંથી 2 લીટર જેટલો અખાદ્ય કલર મળ્યો હતો. જેનો નાશ કરવામાં આવેલ હતો અને મોરબીમાં ખાસ કરીને ખાદ્ય સામગ્રી બનાવતા વેપારીઓ તેમજ હોટલ અને રેસ્ટોરન્ટના ધંધાર્થીઓને સ્વચ્છતા રાખવા માટેની સૂચના આપવામાં આવેલ છે.