મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીથી નવલખી સુધીનો રોડ 290 કરોડના ખર્ચે બનશે ફોરલેન: બે ઓવરબ્રિજ પણ મંજૂર


SHARE







મોરબીથી નવલખી સુધીનો રોડ 290 કરોડના ખર્ચે બનશે ફોરલેન: બે ઓવરબ્રિજ પણ મંજૂર

મોરબીથી નવલખી સુધીના રોડનું કામ મંજૂર કરવામાં આવેલ છે અને આ રોડ 290 કરોડના ખર્ચે ફોરલેન બનાવવામાં આવશે તેની સાથે વવાણીયાથી માળીયા સુધીનો રસ્તો પહોળો કરવાનું કામ અને બે ઓવરબ્રિજનું કામ પણ મંજુર કરાયું છે.

મોરબીથી નવલખી સુધીનો 41 કિલો મીટરનો રસ્તો હાલમાં 10 મીટર પહોળો છે જો કે, તેને ફોરલેન બનાવવા, જરૂરી નવા પૂલ-નાલા બનાવવા અને જૂના પુલની રેસ્ટોરેશનની કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા 290.20 કરોડ મંજૂર કર્યા છે તેમજ કોસ્ટલ હાઈવે વવાણીયાથી માળીયા સુધીનો રસ્તો પહોળો કરવા અને અન્ય આનુષંગિક કામ માટે પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા 23.50 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. અને બે રેલ્વે ફાટક આ રોડ ઉપર આવે છે ત્યા ઓવરબ્રિજ બનાવવા અને મંજૂર થયેલા આ કામો માટેની પ્રિકન્સ્ટ્રકશનની કામગીરી અને કન્સલટન્સી ડીપીઆર કામગીરી માટે 13.30 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતને લક્ષમાં લઈને નવલખી બંદરના વિકાસ માટે આ તમામ કામોને મંજૂર કરવામાં આવેલ છે જેથી તેમની રજુઆત સફળ રહી છે. અને નવલખી બંદરના વિકાસને પણ વેગ મળશે.






Latest News