મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ
Breaking news
Morbi Today

મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ


SHARE













મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ

પી.એમ.શ્રી સજનપર પ્રાથમિક શાળામાં શ્રીમદ ભગવત ગીતા જયંતીની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી અને ત્યારબાદ ગીતાજીનું પૂજન કરવામાં આવ્યું અને શાળાના બાળકોને સજનપર ગામના આગેવાનો શ્રી જયકિશનભાઈ ફેફર, રૂગનાથભાઈ ભૂત અને શામજીભાઈ બરાસરા દ્વારા ગીતાજીનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું ત્યારબાદ શાળાના આચાર્યશ્રી અલ્પેશભાઈ પુજારાએ શ્રીમદ ભગવત ગીતાનું મહત્વ વિશે બાળકો અને ગામ લોકોને જાણકારી આપવામાં આવી અને સાથે સાથે તમામ વાલીશ્રીઓને બાળકોના અપાર આઈ.ડી. બનાવવા બાબતે વિસ્તૃત માહિતી આપી હતી ત્યારબાદ મંચસ્થ તમામ મહાનુભાવોના હસ્તે શાળાના ધોરણ ૬ થી ૮ ના તમામ બાળકોને એક એક એક શ્રીમદ ભગવત ગીતાનું પુસ્તક ભેટ આપવામાં આવ્યું.તેમજ કાર્યક્રમના અંતે તમામ બાળકોને સ્ટીમ ઢોકળાનું ભોજન આપવામાં આવ્યું. ભગવદ્ ગીતા પુસ્તક અને પ્રસાદી સ્વરૂપે સ્ટિમ ઢોકળાના દાતાશ્રી ગૌસેવક ભાઈઓ (લજાઈ) અને સમગ્ર કાર્યક્રમને દિપાવવા ગામમાંથી પધારેલ આગેવાનો તેમજ વાલીશ્રીઓ અને એસએમસી સભ્યો અને અધ્યક્ષ તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિતિ રહ્યા હતાં જેમનો શાળા પરિવાર આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News