મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં લોકડાયરાના આયોજન અર્થે કર્તવ્ય જીવદયા કેન્દ્રની બેઠક યોજાઈ


SHARE







મોરબીમાં લોકડાયરાના આયોજન અર્થે કર્તવ્ય જીવદયા કેન્દ્રની બેઠક યોજાઈ

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમ દ્વારા પશુ-પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે અને આ સંસ્થા દ્વારા આગામી તા. 22 ડિસેમ્બરના રોજ પશુ-પક્ષીઓ માટે અત્યાધુનિક સુવિધાથી સજ્જ દવાખાનાનો શુભારંભ કરવામાં આવનાર છે ત્યારે નંદી મહારાજ માટે નંદીઘરનું નિર્માણ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. અને નંદીઘરના લાભાર્થે આગામી તા. 21 ડિસેમ્બરના રોજ મોરબીમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમે જે લોક ડાયરાનું આયોજન કર્યું છે તેને લઈને મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમની મહત્વની બેઠક મળી હતી જેમાં 200 થી વધુ સ્વંયસેવક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારીને કાર્યક્રમને સફળ બનાવવા કટિબદ્ધ બન્યા હતા. આગામી તા. 21 ડિસેમ્બરના રોજ મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલા રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા કલાકાર કિર્તીદાન ગઢવી, લોક સાહિત્યકાર રાજભા ગઢવી (ગીર), ભજનીક મિલન પટેલ સાથે હાજર રહેશે અને ભજન તેમજ સંતવણીની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમની કોઈપણ માહિતી મેળવવા માટે મો.નં. 7574885747 પર સંપર્ક કરવા કર્તવ્ય જીવદયા કેન્દ્રના સંચાલકોએ જણાવ્યુ છે.






Latest News