મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં લોકડાયરાના આયોજન અર્થે કર્તવ્ય જીવદયા કેન્દ્રની બેઠક યોજાઈ


SHARE















મોરબીમાં લોકડાયરાના આયોજન અર્થે કર્તવ્ય જીવદયા કેન્દ્રની બેઠક યોજાઈ

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમ દ્વારા પશુ-પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે અને આ સંસ્થા દ્વારા આગામી તા. 22 ડિસેમ્બરના રોજ પશુ-પક્ષીઓ માટે અત્યાધુનિક સુવિધાથી સજ્જ દવાખાનાનો શુભારંભ કરવામાં આવનાર છે ત્યારે નંદી મહારાજ માટે નંદીઘરનું નિર્માણ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. અને નંદીઘરના લાભાર્થે આગામી તા. 21 ડિસેમ્બરના રોજ મોરબીમાં ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમે જે લોક ડાયરાનું આયોજન કર્યું છે તેને લઈને મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમની મહત્વની બેઠક મળી હતી જેમાં 200 થી વધુ સ્વંયસેવક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારીને કાર્યક્રમને સફળ બનાવવા કટિબદ્ધ બન્યા હતા. આગામી તા. 21 ડિસેમ્બરના રોજ મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલા રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા કલાકાર કિર્તીદાન ગઢવી, લોક સાહિત્યકાર રાજભા ગઢવી (ગીર), ભજનીક મિલન પટેલ સાથે હાજર રહેશે અને ભજન તેમજ સંતવણીની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમની કોઈપણ માહિતી મેળવવા માટે મો.નં. 7574885747 પર સંપર્ક કરવા કર્તવ્ય જીવદયા કેન્દ્રના સંચાલકોએ જણાવ્યુ છે.






Latest News