મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી સંચાલિત ગોકુલ વિઝીટીંગ સેન્ટર દ્રારા જીંદગી બચાવો અભિયાન


SHARE













વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી સંચાલિત ગોકુલ વિઝીટીંગ સેન્ટર દ્રારા જીંદગી બચાવો અભિયાન

વર્તમાન સમયમાં રોજ સમાચાર પત્રોમાં હાર્ટએટેકથી અવસાન થયાના સમાચાર આવતા હોય છે, આ હાર્ટએટેક સમયે જો કોઈ વ્યકિત તેમની નજીક હોય અને હાર્ટએટેક આવનારને સીપીઆર ટ્રીટમેન્ટ આપવામાં આવે તો તે વ્યકિતની જીંદગી બચાવી શકાય છે.તે માટે વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી સંચાલિત ગોકુલ વિઝીટીંગ સેન્ટર દ્વારા મોરબીની ઓશાંતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓને ગોકુલ વિઝીટીંગ સેન્ટરના ડોકટર દ્વારા હાર્ટએટેક આવેલ વ્યકિતને સીપીઆર કેવી રીતે આપવું તેનુ પ્રત્યક્ષ શિક્ષણ આપવામાં આવેલ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સીપીઆર કરાવી તેમને જરૂરી માર્ગદર્શન આપેલ હતું સીપીઆર ની જાણકારી મેળવી કોઈને જીવનદાન આપી શકીએ તો તે સમાજ માટે ખૂબ જ શ્રેષ્ઠ કાર્ય બનશે માટે દરેક લોકોએ આ તાલીમ શીખવી જોઇએ જેથી જરૂર પડે કોઈ અન્યને નહીં તો પરિવારજનોને પણ મદદરૂપ બની શકીએ.






Latest News