મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી-માળિયા તથા હળવદના મામલતદારની ખાલી જગ્યા ભરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE







મોરબી-માળિયા તથા હળવદના મામલતદારની ખાલી જગ્યા ભરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીના જાગૃત નાગરિક અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર પી.પી.જોશી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને મોરબી, માળિયા અને હળવદમાં મામલતદારની જગ્યા ખાલી હોય તેને ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને હાલ ખાલી જગ્યાના લીધે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે તેથી સત્વરે આ બાબતનો ઉકેલ લાવવામાં આવે તેમ જણાવવામાં આવેલ છે.

વધુમાં પી.પી.જોશીના જણાવ્યા પ્રમાણે તેઓ દ્વારા મોરબી, માળિયા અને હળવદ એમ ત્રણેય તાલુકાઓનો પ્રવાસ કરતા આ તાલુકાઓમાં મહત્વની એવી મામલતદારની જગ્યા ખાલી છે.! જે તાત્કાલીક ભરવી જરૂરી છે.કારણકે હાલમાં નાયબ મામલતદારો ચાર્જમા હોય નિતિ વિષયક નિર્ણય લઈ શકતા નથી અને પ્રજા હેરાન પરેશાન થાય છે. મામલતદાર એટલે તાલુકાના મુખ્ય અધિકારી ગણાય છતા જો આ જગ્યા પણ ખાલી હોય તો અરજદારોને મુશકેલીનો સામનો કરવો પડે છે અને પ્રજા ત્રાહીમામ પોકારી ગયેલ છે.પ્રજાના અસંખ્ય કામો હાલમા મોરબી, હળવદ અને માળિયામાં સમયસર થતા નથી મોરબી જીલ્લો બન્યાને વર્ષો થયા પરંતુ ખાલી જગ્યાને કારણે પ્રજાને સુવિધા મળતી નથી અને બીન અભુવીને મામલતદારનો ચાર્જ આપી હાલ ગાડુ ગબડાવવામાં આવી રહ્યુ છે.તે યોગ્ય નથી માટે આ બાબતે પ્રજાનું હિત વિચારીને ત્રણેય તાલુકામાં તાત્કાલીક મામલતદારની ખાલી જગ્યા ભરવામાં આવે તેવી પી.પી.જોષીએ રાજયના મુખ્યમંત્રીને રજુઆત કરેલ છે.






Latest News