મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી, જામનગર અને રાજકોટ ત્રણ જિલ્લાના ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં એક જ ન્યાયમૂર્તિ ! સ્ટાફ વધારવા માટે રજૂઆત


SHARE







મોરબી, જામનગર અને રાજકોટ ત્રણ જિલ્લાના ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં એક જ ન્યાયમૂર્તિ ! સ્ટાફ વધારવા માટે રજૂઆત

મોરબી, જામનગર અને રાજકોટ જિલ્લાના ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં એક જ ન્યાયમૂર્તિ હોઈ ફરિયાદીઓને ન્યાય મેળવવામાં ઘણો વિલંબ થાય છે તે દુવિધા દુર કરવા પુરતો સ્ટાફ ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવેલ છે કે, મોરબી, જામનગર અને રાજકોટ એમ ત્રણ જીલ્લાની ગ્રાહક તકરાર નિવારણ કોર્ટમાં એક જ ન્યાયમૂર્તિ હોવાના કારણે ફરિયાદીને ન્યાય મેળવવામાં ખુબ જ વિલંબ થાય છે.તેમાં મોરબી જિલ્લામાં તો કચેરીમાં કલાર્ક નથી, સ્ટેનો નથી, પટાવાળા પણ નથી..! જેથી ફરીયાદીને પારાવાર મુશ્કેલી થાય છે.અને ફરીયાદીને ન્યાય મેળવવામાં વિલંબ થાય છે.મોરબી ઓદ્યોગિક શહેર હોઈ ગ્રાહક અદાલતમાં ઘણા કેઇસો આવે છે.આવી પરીસ્થીતીમાં ગ્રાહક સુરક્ષા જેવી યોજના નિષ્ફળ જતી હોઈ તેવુ દેખાઈ રહ્યુ છે.મોરબીની પરીસ્થીતી એવી છે કે ગ્રાહક અદાલતને ફેસલો આવી જાય પણ ફરીયાદીએ હુકમ લેવા જામનગર જવું પડે છે..! મોરબીથી જામનગરનું અંતર ૧૧૦ કીલોમીટર છે.ગરીબ ફરીયાદીને ત્યાં જવું પાલવે નહીં.અહીં ઓર્ડર નથી મળતો તેનું કારણ મોરબી જિલ્લામાં ગ્રાહક અદાલતમાં રેગ્યુલર કલાર્ક નથી, સ્ટેનો નથી, પટાવાળા નથી મોરબી જિલ્લાનું મથક હોઇ ગ્રાહક અદાલતમાં જગ્યા ખાલી હોવાને કારણે ફરીયાદી હેરાન થાય છે.તો ફરીયાદીઓના જણાવ્યા પ્રમાણે હુકમ મોરબીમાં મળે અને ન્યાયમૂર્તિથી માંડી ખુટત સ્ટાફ ભરવામાં આવે તો જ સરકારની ગ્રાહક અદાલતની આ યોજના સફળ થશે.મોરબી ગ્રાહક અદાલતમાં ચુકાદા આપ્યા પછી હુકમ મોરબી ગ્રાહક અદાલતમાં મળે તેવી વ્યવસ્થા કરવા વિનંતી કરાઇ છે.ફરીયાદીને અન્યાય થાય તો ૩૦ દિવસમાં સ્ટેટ કમીશનમાં જવામાં મોડુ થાય તો તેણે હુકમ લેવા જામનગર જવું પડે છે. અને ચાર-પાંચ જીલ્લા વચ્ચે એક જ ન્યાયમૂર્તિ છે.સ્ટાફ ભરતી અને ન્યાયમૂર્તિની ભરતી માટે યોગ્ય કરવામાં આવે તો ભોગ બનેલ ગ્રાહકને ઝડપી ન્યાય મળે.






Latest News