મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત


SHARE















મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત

મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ તરફ જવાનો કેનાલની બીજી બાજુનો  રોડને સિમેન્ટ કોંક્રીટ રોડ બનાવવા માટે ઇન્ટર નેશનલ હુમન રાઈટ એસો.ના ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવેલ છે.  

મોરબીમાં રહેતા ઇન્ટર નેશનલ હુમન રાઈટ એસો.ના ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં ઉમિયા સર્કલ જે શનાળા રોડ પર આવેલ છે. અને દલવાડી સર્કલ જે બાય પાસ રોડ પર આવેલ છે. અને તાજેતરમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીનાં રોડને વનવે જાહેર કરી દેવામાં આવેલ છે જેથી હવે કોઈ વાહન ચાલકને બાયપાસ જવું હશે તો ભક્તિનગર સર્કલ થઇને જવું પડશે મોરબીમા લીલાપરથી ઉમિયા સર્કલ સુધીનો કેનાલનો બીજી બાજુ નો રોડ C.C. રોડ બનાવવામા આવેલ છે. પરંતુ ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધીનો રોડ બનાવવામાં આવ્યો નથી તેઓ આ રોડ કેમ બનાવવામાં આવેલ નથી તે એક મોટો પ્રશ્ન છે. 

થોડા વર્ષો પહેલ જયારે ગંગા જમુના એપાર્ટમેન્ટ બાજુનો રોડ જે ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ જાય છે. તેને ત્યારના  S.P. દ્વારા વનવે જાહેર કરવામ આવેલ હતો. પરંતુ ત્યાર બાદ આ રોડ શા માટે C.C. રોડ બનવવામાં આવ્યો નથી તેની તપાસ કરવાની જરૂર છે. હવે આ રોડની જરૂરત નથી ? વનવે જાહેર કરવામાં આવેલ હતો તે એક તપાસનો વિષય પણ છે. આ રોડ ના બનાવના કારણે ઉમિયા સર્કલ પાસે  ટ્રાફિક જામની સમસ્યા વારવાર થાય છે. જેથી કરીને આ રોડને C.C. રોડ બનાવીને લોકોની સુવિધા મા વધારે કરવામા આવે અને આ કામને તાત્કાલિક મંજુર કરવામા આવે તેવી માંગ કરેલ છે અને જો કામ કરવામાં નહીં આવે તો મોરબી ના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ચીમકી ઉચ્ચારી છે. 






Latest News