મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન


SHARE















મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન

મહાશિવરાત્રીના દિવસે શિવ મંદિરોમાં જુદાજુદા આયોજનો કરવામાં આવતા હોય છે ત્યારે આગામી મહા શિવરાત્રિના દિવસે મોરબીમાં હર હર મહાદેવના નાદ સાથે સિધ્ધનાથ મહાદેવની શોભાયાત્રાનું આયોજન કર્યું છે

મોરબીમાં સમસ્ત સતવરા સમાજ અને જય મહાકાલ સતવરા મિત્ર મંડળ દ્વારા છેલ્લા 7 વર્ષથી જે રીતે મહા શિવરાત્રિના દિવસે શોભાયાત્રાનું આયોજન કરે છે તેવી જ રીતે આગામી તા. 15/2 ને રવિવારના રોજ શોભાયાત્રાનું આયોજન કર્યું છે અને સવારે 9 વાગ્યે શક્તિધામ મંદિરથી શોભાયાત્રા શરૂ કરવામાં આવશે જે જડેશ્વર મહાદેવ મંદિર, શાક માર્કેટ, નેહરુ ગેઈટ ચોક, વાઘપરા, બાપા સીતારામ ચોક, ભક્તિનગર સર્કલ થઈ મોઢેશ્વર મહાદેવ મંદિર (મોરગતની વાડી) ખાતે પૂર્ણ કરવામાં આવશે. આ શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. અને ખાસ કરીને જય મહાકાલ સતવરા મિત્ર મંડળના પ્રમુખ ઈશ્વરભાઈ કંજારીયા તેમજ સભ્ય દયારામભાઈ દલવાડીએ જણાવ્યુ છે કે, આ શોભાયાત્રામાં સતવરા સમાજના ભાઈઓ-બહેનો, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાશે. તેમજ મોરબીના સમસ્ત સનાતન હિન્દુ સમાજને શોભાયાત્રામાં જોડાવા માટે આહ્વાન કર્યું છે.






Latest News