મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયા ગામે ઘરની પાછળ અવારનવાર આવતા શખ્સને ટપારતા મહિલા સહિત ચાર વ્યક્તિઓને જાનથી મારી નાખવાની ધમકી


SHARE













હળવદના જુના દેવળીયા ગામે ઘરની પાછળ અવારનવાર આવતા શખ્સને ટપારતા મહિલા સહિત ચાર વ્યક્તિઓને જાનથી મારી નાખવાની ધમકી

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા યુવાનના ઘરની પાછળના ભાગમાં અવારનવાર આવતા શખ્સને તુ કેમ અવારનવાર મારા ઘરની પાછળ આવે છે તેવું કહ્યું હતું જે તેને સારું નથી લાગતા બે શખ્સો દ્વારા યુવાન તથા તેની પત્ની સહિત કુલ ચાર વ્યક્તિઓને ગાળો આપવામાં આવી હતી તેમજ એક પાડોશીને મૂઢ માર માર્યો હતો અને ચારેય વ્યક્તિઓને જાનથી મારી નાખવાની ધમકી આપી છે જેથી કરીને મહિલા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા સોનલબેન ઘનશ્યામભાઈ મોરડીયા (38)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કલ્પેશ ઉર્ફે બાબો જેઠાભાઈ કરોતરા અને સંજય ગોવિંદભાઈ કરોતરા રહે. બંને જુના દેવળિયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, થોડા દિવસો પહેલા ફરિયાદીના ઘરની પાછળના ભાગમાં અવારનવાર આવતા કલ્પેશ કરોતરાને ફરિયાદીના પતિ ઘનશ્યામભાઈ મોરડીયાએ "તું કેમ અવારનવાર મારા ઘરની પાછળ આવે છે" તેવું કહ્યું હતું જે તેને સારું નહી લાગતા બંને આરોપીઓએ ફરિયાદી તથા તેના પતિ અને પાડોશમાં રહેતા સત્યપ્રકાશ રામનાથભાઈ રાજપુત અને ઇન્દ્રજીત સત્યપ્રકાશ રાજપુતને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઇન્દ્રજીત સત્યપ્રકાશ રાજપુતને બંને આરોપીઓએ મુઢ માર માર્યો હતો તેમજ ફરિયાદી મહિલા તેના પતિ સહિત ચાર વ્યક્તિઓને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News