મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં તખ્તસિંહજી રોડ નવો બનાવવાનું કામ ચાલુ હોય ૩૦ દિવસ માટે રસ્તો બંધ, ૩ વૈકલ્પિક રસ્તાનું જાહેરનામુ પ્રસિધ્ધ


SHARE













મોરબીમાં તખ્તસિંહજી રોડ નવો બનાવવાનું કામ ચાલુ હોય ૩૦ દિવસ માટે રસ્તો બંધ, ૩ વૈકલ્પિક રસ્તાનું જાહેરનામુ પ્રસિધ્ધ

મોરબીમાં તખ્તસિંહજી રોડનું કામ ચાલી રહેલ છે જેથી કરીને ત્યાં રસ્તો બંધ કરવામાં આવેલ છે અને તેના માટે જરૂરી જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ છે અને ત્રણ રોડને વૈકલ્પિક રસ્તા તરીકે જાહેર કરવામાં આવ્યા છે
 
મોરબી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ છે તેમા જણાવ્યું છે કે, મોરબીમાં શિવાની સીઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ (તખ્તસિંહજી) રોડ નવો બનાવવાનો હોવાથી કામગીરી કરવા માટે વાહનોની અવરજવર પર ૩૦ દિવસ માટે બંધ કરાઇ છે અને જાહેરનામું પ્રસિદ્ધ કરીને ૩ વૈકલ્પિક રસ્તા જાહેર કરેલ છે જેમાં ટૂ વ્હીલર-ફોર વ્હીલર માટે પુનમ કેસેટથી વિજય ટોકીઝ થઈને જુના બસ સ્ટેશન, મચ્છીપીઠ રોડ પરથી આસ્વાદ પાન થઈને જડેશ્વર મંદિર રેલ્વે સ્ટેશન રોડ તરફ જઈ શકશે. તેમજ પુનમ કેસેટથી વિજય ટોકીઝ થઈને જુના બસ સ્ટેશન થઈને અયોધ્યાપુરી રોડ પરથી આસ્વાદ પાન થઈને જડેશ્વર મંદિર રેલ્વે સ્ટેશન રોડ જઈ શકશે અને વિજય ટોકીઝ પાસે સૌરાષ્ટ્ર હેર ડ્રેસર થઈને નવાડેલા રોડ જુના બસ સ્ટેશનથી અયોધ્યાપુરી રોડ પરથી આસ્વાદ પાન થઈને જડેશ્વર મંદિર રેલ્વે સ્ટેશન તરફ જઈ શકાશે.






Latest News