મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીમાં તખ્તસિંહજી રોડ નવો બનાવવાનું કામ ચાલુ હોય ૩૦ દિવસ માટે રસ્તો બંધ, ૩ વૈકલ્પિક રસ્તાનું જાહેરનામુ પ્રસિધ્ધ


SHARE







મોરબીમાં તખ્તસિંહજી રોડ નવો બનાવવાનું કામ ચાલુ હોય ૩૦ દિવસ માટે રસ્તો બંધ, ૩ વૈકલ્પિક રસ્તાનું જાહેરનામુ પ્રસિધ્ધ

મોરબીમાં તખ્તસિંહજી રોડનું કામ ચાલી રહેલ છે જેથી કરીને ત્યાં રસ્તો બંધ કરવામાં આવેલ છે અને તેના માટે જરૂરી જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ છે અને ત્રણ રોડને વૈકલ્પિક રસ્તા તરીકે જાહેર કરવામાં આવ્યા છે
 
મોરબી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ છે તેમા જણાવ્યું છે કે, મોરબીમાં શિવાની સીઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ (તખ્તસિંહજી) રોડ નવો બનાવવાનો હોવાથી કામગીરી કરવા માટે વાહનોની અવરજવર પર ૩૦ દિવસ માટે બંધ કરાઇ છે અને જાહેરનામું પ્રસિદ્ધ કરીને ૩ વૈકલ્પિક રસ્તા જાહેર કરેલ છે જેમાં ટૂ વ્હીલર-ફોર વ્હીલર માટે પુનમ કેસેટથી વિજય ટોકીઝ થઈને જુના બસ સ્ટેશન, મચ્છીપીઠ રોડ પરથી આસ્વાદ પાન થઈને જડેશ્વર મંદિર રેલ્વે સ્ટેશન રોડ તરફ જઈ શકશે. તેમજ પુનમ કેસેટથી વિજય ટોકીઝ થઈને જુના બસ સ્ટેશન થઈને અયોધ્યાપુરી રોડ પરથી આસ્વાદ પાન થઈને જડેશ્વર મંદિર રેલ્વે સ્ટેશન રોડ જઈ શકશે અને વિજય ટોકીઝ પાસે સૌરાષ્ટ્ર હેર ડ્રેસર થઈને નવાડેલા રોડ જુના બસ સ્ટેશનથી અયોધ્યાપુરી રોડ પરથી આસ્વાદ પાન થઈને જડેશ્વર મંદિર રેલ્વે સ્ટેશન તરફ જઈ શકાશે.






Latest News