મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત બંને યુવાન રાજકોટ ખસેડાયા


SHARE









મોરબી-વાંકાનેર હાઇવે ઉપર બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત બંને યુવાન રાજકોટ ખસેડાયા

મોરબીના સામાકાંઠે આવેલા મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઇક સ્લીપ થઇ જતાં ઈજાગ્રસ્ત થયેલા બે યુવાનોને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલા વિશાલ ફર્નિચર નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ડબલ સવારીમાં બાઈકમાં જઈ રહેલા ચમનભાઈ હરખાભાઈ (૪૦) અને ભગવાનજીભાઈ કાનજીભાઈ (૪૦) રહે.બંને લક્ષ્મી સોસાયટી વિશાલ ફર્નિચર પાછળ મોરબી-વાંકાનેર હાઇવે વાળાઓને હાથે-પગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી બંનેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જોકે બંને યુવાનોને ગંભીર ઇજાઓ થઇ હોય પ્રાથમિક સારવાર આપીને મોરબીની સિવિલ હોસ્પીટલમાં ઓર્થોપેડિક ડોક્ટરના અભાવે વધુ સારવાર અર્થે બંનેને રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.

આધેડ મહિલા સારવારમાં

જામનગરમાં મોટા ફળિયા વિસ્તારમાં રહેતા સરોજબેન ગોવિંદભાઈ પરમાર નામની ૫૬ વર્ષીય આધેડ મહિલા ઘરેથી વાડીએ જતા હતા ત્યારે બાઇક સ્લીપ થઇ જતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ સરોજબેન પરમારને મોરબીની ડો.હેમલ પટેલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ એસીયન ફ્લેકસીપેક નામના વીરપર નજીક આવેલા કારખાનામાં મજૂરી કામ કરતો ચંદ્રપ્રકાશ સયાનભાઈ નામનો ૩૮ વર્ષીય મજૂર યુવાન રોડ ક્રોસ કરતો હતો ત્યારે અજાણ્યા કાર ચાલકે તેને હડફેટે લેતા ચંદ્રપ્રકાશને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના ઘૂંટુ ગામે ગોવિંદભાઇ ભરવાડની વાડીએ રહીને મજુરી કામ કરતા ભુરાભાઈ મગનભાઈ ગાંગડીયા જાતે આદિવાસી નામના ૨૨ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજા થવાથી તેને સારવાર માટે લઇ જવાયો હતો સારવાર બાદ તેણે અજગરભાઈ દેવીપુજક સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, પોતે પંચાસર ચોકડી નજીક રસ્તો ભૂલી ગયો હોય તણે રસ્તો પૂછતાં સામાવાળાએ ગાળો આપીને તેને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો પોલીસે ભુરાભાઇની ફરિયાદ ઉપરથી અજગરભાઈ દેવીપુજક સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.






Latest News