સિલેક્શન નહીં ઇલેક્શન નિશ્ચિત: મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝનના વર્તમાન પ્રમુખ બનવા માટે 3 ઉમેદવારો મેદાનમાં મોરબીમાં ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ ૧૨૪ બાંધકામો રેગ્યુલરાઇઝ કરાયા: ૫૦ બાંધકામોની અરજી મંજૂર મોરબીમાં સ્કૂલ બસના ચાલકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં ૯.૩૩ લાખનું વળતર વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા આદેશ મોરબીમાં યુવાનની હત્યા કરીને પુરવાનો નાશ કરવા લાશને સળગાવી દેવાના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ વાંકાનેરના ભેરડા નજીક બેલા પથ્થરની ખાણની ઓરડીમાંથી કોપર વાયર સહિત 1.94 લાખના મુદામાલની ચોરીના ગુનામાં ચાર આરોપી પકડાયા મોરબીની સબ જેલમાં મોબાઈલ સહિત પ્રતિબંધિત વસ્તુ ઘુસાડવાના મામલે અજાણ્યા કેદી સહિત તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધાયો હળવદના ગોલાસણ ગામ નજીક ટ્રેક્ટરનો ઓવરટેક કરવા જતા સમયે ડબલ સવારી બાઇક સ્લીપ થતા પાછળ બેઠેલો યુવાન નીચે પટકાતા ટ્રોલીનું ટાયર ફરી જવાથી યુવાનનું મોત મોરબીમાં માવતરના ઘરે રહેતી પરણીતાને પતિ સહિતના છ સાસરિયાંઓ કરિયાવર બાબતે ત્રાસ
Breaking news
Morbi Today

ગુજરાતમાં ભાજપની સરકાર હતી, છે અને રહેશે, માટે કોઈ કામમાં ઉતાવળ કરવાની નહીં: ભુપેન્દ્રભાઈ પટેલ


SHARE













ગુજરાતમાં ભાજપની સરકાર હતી, છે અને રહેશે, માટે કોઈ કામમાં ઉતાવળ કરવાની નહીં: ભુપેન્દ્રભાઈ પટેલ

મોરબી જિલ્લા ભાજપ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં સ્નેહ મિલનનો કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રજત તુલા કરવામાં આવી હતી અને તેઓએ પોતાના ઉપરથી દ્રષ્ટાંત આપીને ભાજપના દરેક કાર્યકરોને કહ્યું હતું કે, હું પણ કામ કરતાં કરતાં તમારી જેમ અહી સુધી આવ્યો છું માટે જયાં છો ત્યાં કામ કરતાં રહો અને કોઈપણ કામમાં ઉતાવળ કરવાની જરૂર નથી ભાજપની સરકાર આજે છે, કાલે હશે અને આગામી સમયમાં પણ રહેવાની જ છે જેથી કરીને જે કામ કરીએ તેમાં કાયમી નિકાલ થાય તેવા કામ કરવાના છે

મોરબી રાજકોટ હાઇવે ઉપર જે.પી.ફાર્મમાં મોરબી જિલ્લા ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા, જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમ, પ્રદેશ મહિલા અધ્યક્ષ દિપીકાબેન સરડવા, રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજી દેથરીયા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, ધારાસભ્ય પરસોતમ સાબરીયા, મહામંત્રી જયુભા જાડેજા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રદેશ ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડીયા હિતના આગેવાનો, હોદેદારો અને વિશાળ સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પહેલી જ વખત મોરબી આવ્યા હોવાથી તેની મોરબી સીરામીક એસોસિએશન દ્વારા રજત તુલા કરવામાં આવી હતી અને ૧૦૦ કિલો ચાંદીથી તેમની રજત તુલા કરવામાં આવી હતી. 

ત્યાર બાદમાં ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, હું પણ કામ કરતાં કરતાં તમારી જેમ અહી સુધી આવ્યો છું માટે જયાં છો ત્યાં કામ કરતાં રહો અને કોઈ કામ ટીટ્વેન્ટીની જેમ કરવાના નહિ કેમ કે, રાજ્યમાં ભાજપની સરકાર આજે છે, કાલે હશે અને આગામી સમયમાં પણ રહેવાની જ છે જેથી કરીને જે કામ કરીએ તેમાં કાયમી નિકાલ થાય તેવા કામ કરવાના છે કોઈપણ કામમાં ઉતાવળ કરવાની જરૂર નથી અને આગામી સમયમાં મોરબીના કાર્યકરોને મળવા માટે મોરબીનો સ્પેશ્યલ કાર્યક્ર્મ કરવાની મુખ્યમંત્રીએ જાહેરાત પણ કરી હતી અને દરેક કાર્યકરોને તેના કામ માટે ગાંધીનગરના દરવાજા ખુલ્લા છે તેવું આહ્વાન કર્યું હતું અને જે કામ લઈને આવશો તે કરવામાં આવશે તેવી ખાતરી તેઓએ સ્નેહમિલનના કાર્યક્ર્મમાં આવેલા તમામ લોકોને આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખના માર્ગદર્શન હેઠળ જિલ્લા, તાલુકા, યુવા અને મહિલા ભાજપની ટિમ દ્વારા કામ કરવામાં આવ્યું હતું 




Latest News