મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાં 13 ગાયની કતલ કરવાના ગુનામાં પકડાયેલા 6 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર: ગૌહત્યાની કલમનો ઉમેરો કરાયો


SHARE









માળીયા (મી) તાલુકામાં 13 ગાયની કતલ કરવાના ગુનામાં પકડાયેલા 6 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર: ગૌહત્યાની કલમનો ઉમેરો કરાયો

માળીયા (મી)ના ખાખરેચી ગામે રહેતા માલધારીઓએ ચીખલી ગામે રહેતા પિતા-પુત્રને તેની કુલ મળીને 50 જેટલી ગાયોને ચરાવવા માટે આપેલ હતી જે પૈકીની 14 જેટલી ગાય પરત આપેલ ન હતી જેથી કરીને માલધારીઓની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો જેથી ગાયો ચરાવવા માટે રાખનારા પિતા-પુત્ર સામે નામ જોગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ગુનામાં પોલીસે શખ્સોની ધરપકડ કરેલ હતી અને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને હાલમાં નોંધાયેલ ફરિયાદમાં ગૌ હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવેલ છે અને આ શખ્સોએ કેટલી ગાયોની કતલ કરવામાં આવી છે અનેકયા કતલ કરી હતી તે દિશામાં તપાસ કરવામાં આવશે.

માળિયા (મી) ના ખાખરેચી ગામે રહેતાને પશુપાલનનો ધંધો કરતાં જલાભાઇ શીયારે તેની માલિકીની 20 ગાય તેમજ બળદેવભાઈ મેવાડાએ પોતાની માલિકીની 30 ગાય આરોપીઓને પૈસા આપીને રખેવાળ તરીકે ચરાવવા માટે થઈને મુસ્તાક લધાણી અને તેના પિતા આમિન લધાણીને આપી હતી જે પૈકીની જલાભાઇની ત્રણ ગાય અને બળદેવભાઈની 11 ગાય આમ કુલ મળીને 14 ગાય મુસ્તાક અને તેના પિતાએ પરત નહીં આપીને માલધારીઓ સાથે વિશ્વાસઘાત કરેલ છે જેથી કરીને 85 હજાર રૂપિયાની કિંમતની ગાયો પરત નહીં આપનારા પિતા પુત્ર સહિતનાઓની સામે જલાભાઈ ઉર્ફે જીલાભાઈ ભાલુભાઈ શીયાર (45)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુસ્તાક આમીનભાઈ લધાણી અને આમીન કરીમભાઈ લધાણી રહે, બંને ચીખલી તાલુકો માળીયા મીયાણા તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ફરિયાદ નોંધાવેલ હતી.

આ ગુનામાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ કે.કે. દરબાર અને તેની ટીમ દ્વારા આરોપી આમીન કરીમભાઈ લધાણી અને મુસ્તાક આમીનભાઈ લધાણી રહે. બન્ને ચીખલી માળીયા (મી), રમજાન હારુનભાઈ જામ રહે. જુના અંજિયાસર, અલાઉદ્દીન મુસાભાઇ જામ, અબ્બાસ મુસાભાઇ મોવર અને સાઉદીન ઓસમાણ કાજેડીયા રહે. ત્રણેય કાજરડા વાળાની ધરપકડ કરી હતો અને આરોપી મુસ્તાક લધાણી અને તેના પિતા આમીન લધાણીને ચરાવવા આપેલ ફરિયાદી સહિત બંનેની જે ગાયો ગુમ થયેલ હતી તેમાંથી બાકીના ચાર આરોપીઓએ ચાર ગાયની કતલ કરી હોવાની કબુલાત આરોપીઓ આપી છે અને જો કે, માલધારીઓની ગાય તેઓની જાણ બહાર રૂપિયા 1 થી 4 હજાર સુધીની રકમ લઈને આરોપી રમજાન જામ અલાઉદ્દીન જામ, અબ્બાસ મોવર અને સાઉદીન કાજેડીયાને ગાય ગેરકાયદે વેંચી નાખી હતી.

ત્યાર બાદ આ ચારેય આરોપીએ રણ વિસ્તારમાં ગાયની કતલ કરી હોવાનું સામે આવ્યું છે અને જે ગાયોની હત્યા કરવામાં આવી છે તેના ગૌ માંસની મિજબાની માણી હોવાનું હાલમાં આરોપીઓ પોલીસને જણાવી રહ્યા છે જો કેગુમ થયેલ 14 ગાય પૈકીની એક ગાય મળી આવેલ છે અને બાકીની બધી જ ગાયોની કતલ કરીને આ ચાર શખ્સોએ જ મિજબાની માણી હતી કે બીજા કોઈ પણ તેની સાથે જોડાયેલ હતા અને આ શખ્સોએ ગાયોની કતલ કરીને તેના ગૌ માંસનું વેચાણ કર્યું છે કે, કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે તેવું અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળેલ છે અને હાલમાં પકડેલા આરોપીઓના કહેવા મુજબ તે ગાયની કતલ કરીને ગૌ માસની મિજબાની કરતા હતા.

જોકેગાયોની કતલ કરવામાં આવી હતી તે સહિતની તપાસ કરવાં આવશે તેમજ ગાયના કંકાલને કબ્જે કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે અને આ બનાવમાં પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને નોકર ચોરીનો ગુનો નોંધીને આરોપીઓને પકડ્યા હતા જો કેગૌહત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે જેથી કરીને ગૌ હત્યાની કલમનો હાલમાં નોંધાયેલ ફરિયાદમાં ઉમેરો કરીને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને પકડાયેલા છ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તે તમામ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. જેથી ગાયોની કતલ કયા કરી ? માંસનો નિકાલ કેવી રીતે કરતાં હતા ?, માંસનું વેચાણ કરવામાં આવ્યું હતું કે કેમ ? વિગેરે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવશે.






Latest News