મોરબીના ખાનપર ગામની શાળાના વિદ્યાર્થીઓએ માટે એક દિવાસીય પ્રવાસ યોજાયો
SHARE
મોરબીના ખાનપર ગામની શાળાના વિદ્યાર્થીઓએ માટે એક દિવાસીય પ્રવાસ યોજાયો
મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ માટે એક દિવસીય પર્યટનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાલવાટિકા તથા ધો. 1 થી 8 સુધીના તમામ બાળકોને ગામથી ૪ કિલોમીટર દૂર આવેલા મેલડી માતાજીનાં ધાર્મિક સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં બાળકોને ધોરણે પ્રમાણે વિવિધ રમતો રમાડવામાં આવી હતી ત્યારબાદ આચાર્યએ જુદીજુદી રમત વિશે જાણકારી આપી હતી. ત્યારબાદ ખાનપર ગામના સરપંચ લીંબડ દિલીપભાઈ બાબુભાઈ તથા ઉપસરપંચ ભીમાણી રમેશભાઈ કરમશીભાઈ બંને તરફથી તમામને ભોજન કરાવવામાં આવ્યું હતું અને સરકારના નિયમ મુજબ બેગલેસ ડે ની આ શાળાએ ખરા અર્થમાં ઉજવણી કરી હતી. આ કાર્ય બદલ શાળાનાં આચાર્ય ઈશ્વરભાઈ સાવરિયા દ્વારા શાળાનાં તમામ શિક્ષકોને અભિનંદન આપવામાં આવ્યા હતા.