મોરબી તાલુકાનાં રાજપર ગામ નજીક કારખાનામાં તસ્કરોના ધામા: સીસીટીવી વાઇરલ
મોરબીમાં આમ આદમી પાર્ટીએ લોકોને જાગૃત કરવા અનોખો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં આમ આદમી પાર્ટીએ લોકોને જાગૃત કરવા અનોખો કાર્યક્રમ યોજાયો
મોરબી સહિત ગુજરાતનાં જુદાજુદા જિલ્લાઓમાં લોકોને અનેક સમસ્યાઓ છે જો કે, તેનો કાયમી ઉકેલ આવતો નથી તે હક્કિત છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીએ નગરદરવાજાના ચોકમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો અને ઢોલ વગાડીને તેમજ સૂત્રોચ્ચાર કરીને તંત્રને ઢંઢોળવાનો તેમજ લોકોને જાગૃત કરવા માટેનો કાર્યક્રમ આપવામાં આવેલ હતો અને ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યુ હતું કે, વર્તમાન સમયમાં સ્ત્રીઓ ઉપર અત્યાચાર તેમજ મોરબી જિલ્લામાં ભ્રષ્ટાચાર સહિતના પ્રશ્નો વધી ગયા છે તેમ છતાં પણ લોકોના પ્રશ્નો ઉકેલવામાં આવી રહ્યા નથી જેથી તંત્રને ઢંઢોળવાનો તેમજ લોકોને જાગૃત કરવા માટેનો કાર્યક્રમ આપવામાં આવેલ હતો આ તકે પંકજભાઈ રણસરિયા, મહદેવભાઇ પટેલ સહિતના હોદેદારો, આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા