મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી-માળિયાના ધારાસભ્યની રજૂઆતના પગલે નાગડાવાસ તથા ખાખરેચી ગામે પશુ દવાખાના મંજૂર કરતા કૃષિ મંત્રી


SHARE







મોરબી-માળિયાના ધારાસભ્યની રજૂઆતના પગલે નાગડાવાસ તથા ખાખરેચી ગામે પશુ દવાખાના મંજૂર કરતા કૃષિ મંત્રી

મોરબી તથા માળીયા મીંયાણા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય તરીકે કાર્યરત કાંતિભાઈ અમૃતિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પશુ દવાખાનાઓ મંજૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.જેના પગલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન અને મત્સ્ય વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા મોરબી તાલુકાના નાગડાવાસ ગામે તેમજ માળિયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામે નવા પશુ દવાખાનાઓ મંજૂર કરવામાં આવ્યા છે.જેના લીધે આ વિસ્તારના પશુધારકોને સગવડતા મળશે અને પશુઓને સારી સારવાર ઉપલબ્ધ થશે.મોરબીના નાગડાવાસ અને માળિયાના ખાખરેચી ગામે નવા પશુ દવાખાનાઓ મંજૂર કરવા બદલ સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તથા કૃષિ મંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






Latest News