મોરબી : પીજીવીસીએલ દ્વારા તા.૨૫ ના રોજ મોટી સંખ્યામાં ટીમો દ્વારા જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે મોરબીમાં ૧.૯૫ કરોડના ખર્ચે ઓપન જીમ, જોગિંગ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા બનશે ડિજિટલ મોરબી : પાલિકા દ્વારા નગરજનોની ફરિયાદના ઝડપી નિકાલ માટે નંબર જાહેર કરાયા ટંકારાના હમીરપર ગામ પાસે બે કાર અથડાતા ઇજા પામેલા ચાર લોકોને સારવારમાં રાજકોટ ખસેડાયા મોરબીમાં બાઈક ઓવરટેક કરવા મુદે કરાયેલ જીવલેણ હુમલામાં એલસીબીએ બે ને દબોચ્યા મોરબી : આયુષ્યમાન આરોગ્ય મંદિર પાનેલી ખાતે ટી.બી. મૂક્ત ભારત અંતર્ગત એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવ્યા બજેટ-૨૦૨૬ એ ગામડા, ગરીબ અને કિશાન, શિક્ષણ, આરોગ્ય, યુવાનો, મહિલાઓનું ઉત્કર્ષએ ગુજરાત સરકારનું કેન્દ્રબિંદુ ગણાવતાં સાંસદ વિનોદભાઈ ચાવડા મોરબીના રાજપર ગામ ખાતે પરમ પૂજ્ય સંતશ્રી નાથાબાપાની ૭મી પુણ્યતિથિ નિમિત્તે ૯ દિવસીય અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી-માળિયાના ધારાસભ્યની રજૂઆતના પગલે નાગડાવાસ તથા ખાખરેચી ગામે પશુ દવાખાના મંજૂર કરતા કૃષિ મંત્રી


SHARE













મોરબી-માળિયાના ધારાસભ્યની રજૂઆતના પગલે નાગડાવાસ તથા ખાખરેચી ગામે પશુ દવાખાના મંજૂર કરતા કૃષિ મંત્રી

મોરબી તથા માળીયા મીંયાણા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય તરીકે કાર્યરત કાંતિભાઈ અમૃતિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પશુ દવાખાનાઓ મંજૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.જેના પગલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન અને મત્સ્ય વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા મોરબી તાલુકાના નાગડાવાસ ગામે તેમજ માળિયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામે નવા પશુ દવાખાનાઓ મંજૂર કરવામાં આવ્યા છે.જેના લીધે આ વિસ્તારના પશુધારકોને સગવડતા મળશે અને પશુઓને સારી સારવાર ઉપલબ્ધ થશે.મોરબીના નાગડાવાસ અને માળિયાના ખાખરેચી ગામે નવા પશુ દવાખાનાઓ મંજૂર કરવા બદલ સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તથા કૃષિ મંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.








Latest News