મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી-માળિયાના ધારાસભ્યની રજૂઆતના પગલે નાગડાવાસ તથા ખાખરેચી ગામે પશુ દવાખાના મંજૂર કરતા કૃષિ મંત્રી


SHARE









મોરબી-માળિયાના ધારાસભ્યની રજૂઆતના પગલે નાગડાવાસ તથા ખાખરેચી ગામે પશુ દવાખાના મંજૂર કરતા કૃષિ મંત્રી

મોરબી તથા માળીયા મીંયાણા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય તરીકે કાર્યરત કાંતિભાઈ અમૃતિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પશુ દવાખાનાઓ મંજૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.જેના પગલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન અને મત્સ્ય વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા મોરબી તાલુકાના નાગડાવાસ ગામે તેમજ માળિયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામે નવા પશુ દવાખાનાઓ મંજૂર કરવામાં આવ્યા છે.જેના લીધે આ વિસ્તારના પશુધારકોને સગવડતા મળશે અને પશુઓને સારી સારવાર ઉપલબ્ધ થશે.મોરબીના નાગડાવાસ અને માળિયાના ખાખરેચી ગામે નવા પશુ દવાખાનાઓ મંજૂર કરવા બદલ સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તથા કૃષિ મંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






Latest News