મોરબીમાં આમ આદમી પાર્ટીએ લોકોને જાગૃત કરવા અનોખો કાર્યક્રમ યોજાયો
મોરબી-માળિયાના ધારાસભ્યની રજૂઆતના પગલે નાગડાવાસ તથા ખાખરેચી ગામે પશુ દવાખાના મંજૂર કરતા કૃષિ મંત્રી
SHARE
મોરબી-માળિયાના ધારાસભ્યની રજૂઆતના પગલે નાગડાવાસ તથા ખાખરેચી ગામે પશુ દવાખાના મંજૂર કરતા કૃષિ મંત્રી
મોરબી તથા માળીયા મીંયાણા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ધારાસભ્ય તરીકે કાર્યરત કાંતિભાઈ અમૃતિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પશુ દવાખાનાઓ મંજૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.જેના પગલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન અને મત્સ્ય વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા મોરબી તાલુકાના નાગડાવાસ ગામે તેમજ માળિયા મીંયાણા તાલુકાના ખાખરેચી ગામે નવા પશુ દવાખાનાઓ મંજૂર કરવામાં આવ્યા છે.જેના લીધે આ વિસ્તારના પશુધારકોને સગવડતા મળશે અને પશુઓને સારી સારવાર ઉપલબ્ધ થશે.મોરબીના નાગડાવાસ અને માળિયાના ખાખરેચી ગામે નવા પશુ દવાખાનાઓ મંજૂર કરવા બદલ સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી તથા કૃષિ મંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.