મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીમાં દાદીના ત્રાસથી કંટાળીને કિશોરી ઘર છોડીને નીકળી ગઈ !


SHARE













મોરબીમાં દાદીના ત્રાસથી કંટાળીને કિશોરી ઘર છોડીને નીકળી ગઈ !

વર્તમાન સમયમાં ઘણી વખત ચિંતાજનક કહી શકાય તેની ઘટનાઓ સામે આવતી હોય છે આવી જ રીતે મોરબીમાં દાદીના માનસિક ત્રાસથી કંટાળી કિશોરી ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગહતી જો કે, મોરબી ૧૮૧ અભયમની ટીમે ઘરેથી નીકળી ગયેલ કિશોરીનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

મોરબી અભયમની ટીમને જાગૃત નાગરિકનો કોલ આવેલ હતો કે, લખધીરપુર નજીક એક અજાણી યુવતી રડતી-રડતી દોડાદોડી કરે છે જેથી કરીને અભયમની ટિમ ત્યાં પહોચી હતી અને ત્યારે મારે મરી જવું છે એવો એક જ શબ્દ બોલે છે અને દીકરી ખુબ જ ગભરાયેલ હતી જેથી તેણે અભયમની ટીમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ જયશ્રીબેન કોઠિવાર  અને પાયલોટ વિજયભાઈએ સંતવાના આપી હતી અને એક કારખાનાએ બેસાડેલ હતી ત્યાર બાદ કિશોરીએ જણાવ્યુ હતું કે તેના માતા પિતાનું અવસાન થયેલ છે અને તેઓ એક ભાઈ અને બે બહેન તેમના દાદી સાથે રહે છે અને કામકાજ બાબતે તેના દાદી ખીજાતા હતાં અને રસોઈ બનાવવા બાબતે દાદી નાની નાની વાતે તેની સાથે અયોગ્ય વર્તન કરતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા તેમજ ઘરની બહાર નીકળી જા, તું મરી જા વિગેરે બોલતા હતા જેથી કિશોરી કંટાળીને ઘર છોડીને કોઈને કહ્યા વગર નીકળી ગહતી. જો કે, અભયમની ટીમે કિશોરીના દાદીને સમજાવીને દીકરીનું ધ્યાન રાખવા જણાવેલ છે અને કિશોરીનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ છે.






Latest News