મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના બોરીયાપાટી વિસ્તારમાં બંધ પડેલ ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરવા અને નિયમાનુસાર કામ કરાવવા સ્થાનિકોની માંગ


SHARE







મોરબીના બોરીયાપાટી વિસ્તારમાં બંધ પડેલ ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરવા અને નિયમાનુસાર કામ કરાવવા સ્થાનિકોની માંગ

મોરબી બોરીયાપાટી વિસ્તારના રહીશો દ્વારા મોરબી મહાનગરપાલિકા કમીશ્નરને લેખીતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.જેમાં તે વિસ્તારમાં ચાલતા ભુગર્ભ ગટરના કામમાં થતી ગેરરીતિ બાબતે રજૂઆત કરવામાં આવેલ છે.

આ વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી મોરબીની આજુબાજુના વાડી વિસ્તારમાં ભુગર્ભ ગટર નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત બોરીયાપાટી વિસ્તારમાં પણ ભુગર્ભ ગટર નાખવાની કામગીરી હાલમાં ચાલુ છે.જેમાં પ્લાન અને વર્ક ઓર્ડર મુજબ કામગીરી ન થતી હોય તેમજ શેરી અંદરની લાઈન ૮ ઈંચની અને મેઈન લાઈન પણ ૮ ઈંચની જ નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હોય જેના વિરોધમાં સથાનીકો દ્વારા મેઈન લાઈન ૨૪ ઈંચની નાખવામાં આવે તેમજ વર્ક ઓર્ડર અને નિયત પ્લાન મુજબ કામગીરી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

જેના અનુસંધાને અગાઉ પણ લેખીતમાં કલેકટર, મામલતદાર અને ચીફ ઓફિસરને જાણ કરવામાં આવી હતી.પરંતુ આજદિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.અને આજની તારીખે ભુગર્ભ ગટર નાખવાની કામગીરી બંધ હાલતમાં છે.જે અનુસંધાને મોરબી મહાનગરપાલિકાના નવનિયુકત કમિશનરને વધુ એક વખત લેખીત આવેદનપત્ર આપવામાં આવ્યું છે.સ્થાનીકોની માંગણી સંતોષાય તેવી આશા લોકો નવનિયુક્ત કમીશ્નર પાસે રાખી રહ્યા છે અને ભુગર્ભ ગટર નાખવાની કામગીરી ફરીથી ચાલુ થાય તેમજ નિયમાનુસારની કામગીરી થાય તેવી આશા રહેવાસીઓ તંત્ર પાસે રાખી રહ્યા છે.






Latest News