હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મિત્ર સાથે ઝઘડો કરનારાઓની સાથે વાત કરવા ગયેલા ત્રણ યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરીના ઘા માર્યા


SHARE

















વાંકાનેરમાં મિત્ર સાથે ઝઘડો કરનારાઓની સાથે વાત કરવા ગયેલા ત્રણ યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરીના ઘા માર્યા

વાંકાનેરમાં બસ સ્ટેશન પાસે મિત્રને થયેલા ઝઘડા બાબતે વાતચીત કરવા માટે ગયેલા યુવાન સહિત ત્રણ વ્યક્તિ ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્રણેયને હાથના કાંડા, માથા અને આંગળીમાં ઇજા કરી હતી જેથી ઇજા પામેલ ત્રણેય વ્યક્તિઓને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ જુના વઘાસિયા ગામે રહેતા વીરપાલસિંહ જગદીશસિંહ નારુભા (19) એ હાલમાં ક્રિશ વિંઝવાડીયા અને કરણ વિંઝવાડીયા રહે. બંને માટેલ તાલુકો વાંકાનેર વાળા તથા અન્ય ત્રણ શખ્સ આમ કુલ પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, વાંકાનેરમાં આવેલ બસ સ્ટેશન ખાતે ફરિયાદીના મિત્ર પૃથ્વીરાજસિંહ ઝાલાને આરોપીની સાથે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ હતો જેથી ફરિયાદી અને સાહેદો આરોપીઓ સાથે વાતચીત કરવા માટે તેને ગયા હતા ત્યારે વાંકાનેર બસ સ્ટેશનમાં ક્રિસ વિંઝવાડીયાએ બોલાચાલીને ઝઘડો કર્યો હતો જ્યારે કરણ વિંઝવાડીયાએ છરી વડે ફરિયાદી સહિત ત્રણ વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો અને ત્યારે ફરિયાદી યુવાનને ડાબા હાથના કાંડાના ભાગે અને સાહેરાજદીપસિંહને માથામાં અને ભવ્યદીપસિંહને આંગળીમાં છરી વડે ઈજા કરવામાં આવી હતી જેથી ઈજા પામેલ ત્રણેય વ્યક્તિઓને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાનને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

અકસ્માતમાં ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં

ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલ પ્રભુનગરમાં પાણીના ટાંકા પાસે રહેતા મહેશભાઈ ગોરધનભાઈ પારઘી (43)એ અજાણી બોલેરો ગાડીના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામના બોર્ડ થી વાંકાનેર તરફ જતા મીતાણા રોડ ઉપરથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે 3 ઈજે 7847 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના ડબલ સવારી બાઈકને બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીને પગમાં ફ્રેક્ચર થયું હતું જ્યારે સાહેને પણ શરીરે ઇજાઓ થઈ હોવાથી સારવારમાં લઈ ગયા હત અને અકસ્માતના બનાવમાં બાઇકમાં નુકસાની થયેલ હતું જોકે, બોલેરો ગાડીનો ચાલક અકસ્માત થયા બાદ પોતાનું વાહન લઈને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News