તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં પડી જવાથી માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE











મોરબીમાં ઘરમાં પડી જવાથી માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતો યુવાન પોતે પોતાના ઘરે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં કોઈ કારણોસર પડી જતા તેને માથામાં ઇજા થઈ હતી જેથી પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ કરવા માટે રાજકોટ લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા શામજીભાઈ ગોવિંદભાઈ સોલંકી (39) નામનો યુવાન ગત તા. 4/1 ના રોજ વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં ઘરે હતો ત્યારે કોઈ કારણોસર પડી જતા તેને માથામાં અને શરીરે ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ ગયા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સારવારમાં

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં કેસવાનંદ બાપુના આશ્રમ પાસે કુલીનગર-1 માં રહેતા મુમતાજબેન ઇમરાનભાઈ મોવર નામના મહિલા કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે અજાણ્યુ પ્રવાહિ લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી છે.

બે યુવાનને ઇજા

મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા મિલન ભુપતભાઈ (21) અને વિશાલ જેસીંગભાઇ (21) નામના બે યુવાનોને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર ભરતનગર ગામ પાસે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં જુના ઘનશ્યામ ગઢ ગામે રહેતા વિજય સુખદેવભાઈ પટેલ (29) નામના યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News