હળવદના નવા માલણીયાદ ગામે બોલાચાલી બાદ દાતરડાનો ઘા ઝીકિને આધેડે કરી નાખી પત્નીની હત્યા મોરબીમાં કોરોના સમયે સિરામિક ઉદ્યોગપતિએ લીધેલ સારવારનો ૭.૯૬ લાખનો વીમો વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ ટંકારાના સાવડી ગામે પંચાયતના બે જર્જરિત કવાર્ટર વરસાદમાં ધરાશાય મોરબીમાં નવકાર કોમ્પ્યુટર એકેડેમી ખાતે વિદ્યાર્થીઓ-પૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના ઊંચી માંડલ પાસે રજડતા શ્વાને બચકાં ભરી લેતા 7 વર્ષનો બાળક સારવારમાં મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે સર્વિસ રોડના ખાડા જીવલેણ સાબિત થાય તે પહેલા બુરવા માટે સ્થાનિકોની માંગ મોરબી જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ ૬ સ્થળોએ આકસ્મિક રેઇડ: ૫ તરુણ શ્રમિકોને મુક્ત કરાવાયા મોરબીના કૃષિવ ને મળ્યું નવજીવન: રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ માસૂમ બાળકની હૃદયની બિમારીનું નિઃશુલ્ક સફળ ઓપરેશન
Breaking news
Morbi Today

મોરબીથી અમદાવાદ-રાજકોટની ટ્રેનની સુવિધા આપવા સાંસદને રજુઆત


SHARE







મોરબીથી અમદાવાદ-રાજકોટની ટ્રેનની સુવિધા આપવા સાંસદને રજુઆત

મોરબીને રેલવે ટ્રેનની વધુ સુવિધા આપવામાં આવે તેના માટે રજૂઆતો કરવામાં આવી છે પરંતુ સુવિધા વધારવામાં આવતી નથી તેવામાં પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ પી. શિરોહિયા દ્વારા કચ્છ- મોરબી સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, મોરબી જિલ્લો બની ગયો તેને વર્ષો થઈ ગયેલ છે તો પણ મોરબી જિલ્લાને લાંબા અંતરની ગાંધીધામ મોરબી, કામ્ખીયા ભુજ, મોરબી બાંદ્રા વિકલી સિવાય કોઈ જ ટ્રેન આપવામાં આવી નથી ત્યારે મોરબીને ભુજ ગાંધીધામ મોરબી હરિદ્વાર સુધી ટ્રેન આપવામાં આવે તેવી માંગ કરી છે. તેમજ ડેઇલી ભુજ, મોરબી, અમદાવાદ જે હાલમાં વંદે ભારત ટ્રેન 6 દિવસ ચાલે છે તેને 3 દિવસ મોરબીથી ચલાવવામાં આવે અને મોરબી-રાજકોટ ડેઇલી ટ્રેન આપવામાં આવે તેવી માંગ કરેલ છે તેમજ ગાંધીધામ, મોરબી, કામ્ખીયાના ફેરા વધારી સપ્તાહમાં ત્રણ દિવસ કરવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News