મોરબીમાં રોટરી ક્લબ દ્વારા ટીબીના દર્દીઓને રાશન કીટનું વિતરણ કરાયું મોરબીના જિલ્લા કલેક્ટર તરીકે સ્વપ્નિલ ખરેએ ચાર્જ સંભાળ્યો મોરબી જિલ્લાની ટંકારા વાંકાનેર અને માળિયા પાલીકામાં પ્રમુખની ચૂંટણી : ટંકારામાં પંકજભાઈ કરોલીયા, વાંકાનેરમાં રમેશભાઈ વોરા અને માળિયામાં હરૂનભાઇ સંધવાણી પ્રમુખ બન્યા મોરબીના કેનાલ રોડનો બનાવ : પુત્ર પાછળ બાઈકમાં જતા ચક્કર આવતા પડી ગયેલ વૃદ્ધાનું સારવારમાં મોત ખેડૂતોમાં ભારે આક્રોશ: મોરબીના પીલુડી ગામે વીજ પોલ ઊભા કરવા આવેલ ખાનગી કંપનીના માણસોને વિલા મોઢે પાછા કાઢ્યા વર્તમાન સમયમાં દીકરીઓને શું ધ્યાન રાખવું તેનું મોરબીમાં સચોટ માર્ગદર્શન આપતા વક્તા અંકિતાબેન મુલાણી  મોરબી શહેર-તાલુકામાંથી દારૂની 13 બોટલ સાથે બે શખ્સ પકડાયા મોરબીમાં આઈપીએલની મેચ ઉપર જુગાર રમતા એક શખ્સ 3.28 લાખના મુદામાલ સાથે પકડાયો: 4 ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીથી અમદાવાદ-રાજકોટની ટ્રેનની સુવિધા આપવા સાંસદને રજુઆત


SHARE











મોરબીથી અમદાવાદ-રાજકોટની ટ્રેનની સુવિધા આપવા સાંસદને રજુઆત

મોરબીને રેલવે ટ્રેનની વધુ સુવિધા આપવામાં આવે તેના માટે રજૂઆતો કરવામાં આવી છે પરંતુ સુવિધા વધારવામાં આવતી નથી તેવામાં પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ પી. શિરોહિયા દ્વારા કચ્છ- મોરબી સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, મોરબી જિલ્લો બની ગયો તેને વર્ષો થઈ ગયેલ છે તો પણ મોરબી જિલ્લાને લાંબા અંતરની ગાંધીધામ મોરબી, કામ્ખીયા ભુજ, મોરબી બાંદ્રા વિકલી સિવાય કોઈ જ ટ્રેન આપવામાં આવી નથી ત્યારે મોરબીને ભુજ ગાંધીધામ મોરબી હરિદ્વાર સુધી ટ્રેન આપવામાં આવે તેવી માંગ કરી છે. તેમજ ડેઇલી ભુજ, મોરબી, અમદાવાદ જે હાલમાં વંદે ભારત ટ્રેન 6 દિવસ ચાલે છે તેને 3 દિવસ મોરબીથી ચલાવવામાં આવે અને મોરબી-રાજકોટ ડેઇલી ટ્રેન આપવામાં આવે તેવી માંગ કરેલ છે તેમજ ગાંધીધામ, મોરબી, કામ્ખીયાના ફેરા વધારી સપ્તાહમાં ત્રણ દિવસ કરવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News