મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના સીડીએસ ગ્રુપ દ્વારા પાટીદાર સમાજના જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓની ફી ભરવાના સંકલ્પ સાથે મોરબીથી સિદસર સુધીની યાત્રા યોજાઇ


SHARE









મોરબીના સીડીએસ ગ્રુપ દ્વારા પાટીદાર સમાજના જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓની ફી ભરવાના સંકલ્પ સાથે મોરબીથી સિદસર સુધીની યાત્રા યોજાઇ

મોરબીમાં કાર્યરત સી.ડી.એસ. પાટીદાર યુવા ગ્રુપ દ્વારા આજથી મોરબી જીલ્લામાં પાટીદાર સમાજના જરૂરીયાતમંદ પરિવારના વિદ્યાર્થીઓને ફી ભરવાના સંકલ્પ સાથે મોરબીથી સિદસર ઉમિયા માતાજીનાં મંદિર સુધીની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા અને ત્યારે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા પણ ત્યાં હાજર રહ્યા હતા અને તેઓએ પણ યુવાનોની આ સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી અને માતાજી તેઓને આ સેવા કરવા માટે થઈને આર્થિક રીતે સમૃદ્ધ બનાવે તેમજ શક્તિ આપે તેવી પણ તેમણે ઉમિયા માતાજીને પ્રાર્થના કરી હતી.

 કોરોના કાળ દરમ્યાન ઘણા એવા પરિવારોએ પોતાના પરિવારનો આધાર ગુમાવ્યો છે તો ઘણા વિદ્યાર્થીઓએ પોતાના પિતા ગુમાવ્યા છે આવા પરિવારોને મદદરૂપ થવા માટે ઘણીબધી સંસ્થાઓ દ્વારા આ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે ત્યારે જો વાત કરીએ મોરબીના સી.ડી.એસ. પરિવાર પાટીદાર ગ્રુપની તો સી.ડી.એસ. ગ્રુપ દ્વારા કોરોનાની પહેલી લહેર બાદ મોરબીના શનાળા ગામે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાંથી જે ભંડોળ એકત્રિત થયું હતું તેના માધ્યમથી મોરબી શહેર અને તાલુકાનાં જરૂરિયાતમંદ પરિવારના પાટીદાર સમાજના દિકરા-દિકરીઓને ભણવા માટે ફી ભરવામાં આવી રહી છે આજની તારીખે મોરબીમાં ૧૬ વિદ્યાર્થીઓની ફી આ સંસ્થા દ્વારા ભરવામાં આવી રહી છે અને જો કે, અત્યાર સુધી આ સેવાકીય પ્રવૃત્તિ માત્ર મોરબી શહેર અને તાલુકા વિસ્તાર પૂરતી હતી અને પાટીદાર સમાજના વિદ્યાર્થીએ પોતાના પિતા કે ઘરના આધારને ગુમાવ્યાં હોય તો તેને ભણવા માટે આર્થિક જરૂરિયાત હોય તો સી.ડી.એસ. દ્વારા ફી ભરી આપવામાં આવતી હતી.

 જો કે, સી.ડી.એસ. ટ્રસ્ટ દ્વારા આ એવો સંકલ્પ કરવામાં આવેલ છે કે આજથી મોરબી જિલ્લાની અંદર પાટીદાર સમાજના દિકરા દિકરીઓને અભ્યાસ માટે આર્થિક મૂંઝવણ હોય અને તેની માહિતી જો ગ્રૂપને મળશે તો તેઓ દ્વારા વિદ્યાર્થીઓને ભણવા માટે થઈને ફી ની વ્યવસ્થા કરવામાં આવશે તેવું સી.ડી.એસ. ગ્રુપના વિશાલભાઈ ઘોડાસરા, અશોકભાઇ દેસાઇ અને રાકેશભાઈ કાવરે જણાવ્યું છે આજે આ સંકલ્પ સાથે મોરબીના શનાળા રોડ ઉપરથી સિદસર સુધીની યાત્રા સી.ડી.એસ. ગ્રૂપના યુવાનો દ્વારા યોજવામાં આવી હતી ત્યારે મોરબીમાં રહેતાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા પણ હાજર રહ્યા હતા અને તેઓએ પણ યુવાનોની સેવાકિય પ્રવૃતિને બિરદાવી હતી અને તેઓને આ કાર્ય સિદ્ધ કરવા માટે થઈને ઉમિયા માતાજી શક્તિ આપે તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.

 

 






Latest News