મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ પાસે કારખાનામાં દંપતિને માર મારનારા ત્રણ શખ્સોની કરાઇ ધરપકડ


SHARE













મોરબીના ભડીયાદ પાસે કારખાનામાં દંપતિને માર મારનારા ત્રણ શખ્સોની કરાઇ ધરપકડ

મોરબી નજીકના ભડીયાદ ગામ પાસે આવેલ ૫૫૫ કારખાનાની કોલોનીમાં રહેતાં પતિ-પત્નીને ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવેલ હતો જેથી ભોગ બનેલા યુવાનો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરેલ છે. 

મોરબી નજીકના ભડીયાદ ગામ પાસે આવેલ ૫૫૫ કારખાનાની કોલોનીમાં રહેતા સંજયભાઈ કરસનભાઈ આંત્રેશા જાતે કોળી (૨૧) એ ચિરાગભાઈ સુરેલા, અશોકભાઈ સુરેલા અને અશોકભાઇના શાળા મુન્નાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેઓને અને તેની પત્ની જ્યોતિબેન સંજયભાઈને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં ફરિયાદી સંજયભાઈએ જણાવ્યું હતું કે તેઓના ઘર પાસે પાણીના નળમાં તેઓએ મોટર મૂકેલી છે તે બાબતે ચિરાગભાઈ સુરેલાએ તેની સાથે બોલાચાલી કરી હતી અને લાકડાના ધોકા વડે પગમાં માર માર્યો હતો ત્યારબાદ તેને અશોકભાઈએ પકડી રાખ્યા હતા અને અશોકભાઈના સાળા મુન્નાએ બોલાચાલી કરી ગાળો આપીને ત્રણ વ્યક્તિઓએ તેને અને તેના પત્ની જ્યોતિબેનને માર માર્યો હતો જેથી મોરબી તાલુકા પોલીસે ભોગ બનેલા સંજયભાઈની ફરિયાદ લઈને ત્રણેય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં ત્રણેય આરોપીને પકડવામાં આવેલ છે જેમાં ભરત ઉર્ફે મુનો અવચર સોમાણી (ઉ.૩૫) અશોક બાબુભાઈ સુરેલા (ઉ.૪૦) અને ચીરાગ બાબુ સુરેલા (ઉ.૨૬) રહે. બધા જ ભડીયાદ ૫૫૫ નળીયાના કારખાનાની ઓરડી વાળાનો સમાવેશ થાય છે.






Latest News