મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ પાસે કારખાનામાં દંપતિને માર મારનારા ત્રણ શખ્સોની કરાઇ ધરપકડ


SHARE









મોરબીના ભડીયાદ પાસે કારખાનામાં દંપતિને માર મારનારા ત્રણ શખ્સોની કરાઇ ધરપકડ

મોરબી નજીકના ભડીયાદ ગામ પાસે આવેલ ૫૫૫ કારખાનાની કોલોનીમાં રહેતાં પતિ-પત્નીને ત્રણ શખ્સો દ્વારા માર મારવામાં આવેલ હતો જેથી ભોગ બનેલા યુવાનો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરેલ છે. 

મોરબી નજીકના ભડીયાદ ગામ પાસે આવેલ ૫૫૫ કારખાનાની કોલોનીમાં રહેતા સંજયભાઈ કરસનભાઈ આંત્રેશા જાતે કોળી (૨૧) એ ચિરાગભાઈ સુરેલા, અશોકભાઈ સુરેલા અને અશોકભાઇના શાળા મુન્નાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેઓને અને તેની પત્ની જ્યોતિબેન સંજયભાઈને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં ફરિયાદી સંજયભાઈએ જણાવ્યું હતું કે તેઓના ઘર પાસે પાણીના નળમાં તેઓએ મોટર મૂકેલી છે તે બાબતે ચિરાગભાઈ સુરેલાએ તેની સાથે બોલાચાલી કરી હતી અને લાકડાના ધોકા વડે પગમાં માર માર્યો હતો ત્યારબાદ તેને અશોકભાઈએ પકડી રાખ્યા હતા અને અશોકભાઈના સાળા મુન્નાએ બોલાચાલી કરી ગાળો આપીને ત્રણ વ્યક્તિઓએ તેને અને તેના પત્ની જ્યોતિબેનને માર માર્યો હતો જેથી મોરબી તાલુકા પોલીસે ભોગ બનેલા સંજયભાઈની ફરિયાદ લઈને ત્રણેય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં ત્રણેય આરોપીને પકડવામાં આવેલ છે જેમાં ભરત ઉર્ફે મુનો અવચર સોમાણી (ઉ.૩૫) અશોક બાબુભાઈ સુરેલા (ઉ.૪૦) અને ચીરાગ બાબુ સુરેલા (ઉ.૨૬) રહે. બધા જ ભડીયાદ ૫૫૫ નળીયાના કારખાનાની ઓરડી વાળાનો સમાવેશ થાય છે.






Latest News