તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી: દારૂના ગુનામાં સંડોવાયેલ રાજકોટના શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયો


SHARE











મોરબી: દારૂના ગુનામાં સંડોવાયેલ રાજકોટના શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયો

મોરબી જિલ્લામાં જુદાજુદા ગુનામાં સંડોવાયેલ શખ્સોની પાસા દરખાસ્ત મૂકવામાં આવતી હોય છે અને તેને મંજૂર કરવામાં આવે એટ્લે આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવે છે આવી જ રીતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ રાજકોટમાં દુધની ડેરી નજીક રહેતા યાસીન રહીમભાઈ સમા (ઉમર ૩૧) વિરુદ્ધ પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું.જેથી કરીને રાજકોટથી તેને હસ્તગત કરીને સુરતની લાજપોર જેલ હવાલે કરવામાં આવેલ છે.

મારામારમાં ઇજા

મોરબીના સામાકાંઠે ઇન્દિરાનગર વિસ્તારમાં નજીવી વાતે સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જે અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે કરિયાણાની દુકાને બાકી પૈસા મુદ્દે બોલાચાલી રકજક થઈ હતી.જેમાં સામસામે નળીયા તથા ઇંટ વડે મારામારી થતાં ભરતભાઇ બાલાભાઈ દાફડા (૪૫) રહે.ઇન્દિરાનગર તથા તે વિસ્તારના જ હરેશભાઈ ભુરાભાઈ પરમાર નામના ૩૫ વર્ષના યુવાન વચ્ચે તા.૬-૨ ના રાત્રીના આઠેક વાગ્યે આ મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં બંનેને ઈજા થતા બંનેને મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.ત્યાંથી બંનેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

માળીયા મીંયાણા ખાતે રહેતા સબીનાબેન નિઝામભાઈ ફકીર નામની ૨૪ વર્ષીય મહિલા તેના ઘરે કોઈ કારણોસર ફીનાઇલ પી જતા તેણીને સારવાર માટે અત્રે સિવિલે લાવવામાં આવી હતી.જ્યારે મૂળ એમપીની અને હાલ મોરબી ખાતે રહેતી રેખાબાઈ શ્રીરામભાઈ ડાઇમા નામની ૩૭ વર્ષીય મહિલા રાજકોટ હાઇવે લજાઈ-વીરપર વચ્ચે સાયકલમાં બેસીને જતા હતા ત્યારે સાયકલમાંથી પડી જતા ઈજા પામતા સારવાર માટે અહીંની આયુષમાં લાવવામાં આવ્યા હતા.બંને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરી હતી






Latest News