તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં અગાઉ થયેલ બે ઘરફોડ ચોરીના ગુનામાં ચિખલીગર ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: બે દિવસના રિમાન્ડ મંજૂર


SHARE











મોરબીમાં અગાઉ થયેલ બે ઘરફોડ ચોરીના ગુનામાં ચિખલીગર ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: બે દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીની ખોડિયાર સોસાયટીમાં અને વિજયનગરના નાકા પાસે જુદાજુદા બે મકાનોને નિશાન બનાવીને ચોરી કરવામાં આવી હતી જે અંગેની બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ કરવામાં આવી હતી આ ગુનામાં વધુ એક આરોપીને પકડવામાં આવેલ છે.

મોરબીના ઇન્દિરાનગર નજીક આવેલ ખોડિયાર સોસાયટીમાં રહેતા સુખદેવભાઈ કરસનભાઈ સુરેલાના ઘરમાં ચોરી કરવામાં આવી હતી અને ત્યારે ઘરના દરવાજાના નકુચા તોડીને ઘરમાં પ્રવેશ કરીને ઘરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળીને 1.21 લાખના મુદામાલની ચોરી કરી હતી આવી જ રીતે વિજયનગર નાકા પાસે રહેતા જયંતીલાલ ગાંડુભાઈ સોલંકીના ઘરને નિશાન બનાવેલ હતું ત્યારે તેઓ પોતાના ઘરે નીચે રૂમમાં તાળું મારીને તેમના પત્ની અને સંતાનો સાથે ઘરમાં ઉપરના માળે અગાશી ઉપર સૂતા હતા ત્યારે અજાણ્યા શખ્સે તેના ઘરને નિશાન બનાવીને ઘરમાં પ્રવેશની ચોરી કરી હતી અને ત્યારે તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળીને 1,64,500 નો મુદામાલ લઈ ગયા હતા જે બંને ચોરીની ફરિયાદ બી ડિવિઝનમાં નોંધાઈ હતી અને પીઆઇ એન.એ. વસાવાના માર્ગદર્શન હેઠળ તપાસ કરવામાં આવી રહી હતી આ ગુનામાં પહેલા પોલીસે આરોપી સોનુસિંઘ શેરસિંઘ ખીચી નામના આરોપીની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં શેરસિંઘ ઉર્ફે સૂરજસિંઘ રણજીતસિંઘ ખીચી જાતે ચિખલીગર શીખ (43) રહે. હાલ ખોડિયાર કોલોની યોગેશ્વરધામ ઢીચડા રોડ જામનગર વાળાની ધરપકડ કરેલ છે અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.






Latest News