પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ બંધ કરી મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા તુલસી દિવસ ઉજવાયો મોરબી :માળીયા મીં.ની ભીમસર ચોકડી પાસે આઇસર હડફેટે માતાનું મોત, પુત્ર ઘાયલ વાંકાનેર રેલવે સ્ટેશને ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા આધેડે જીવન ટુકવ્યું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક સવાર યુવાનનું મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે રોડ સાઈડમાં ઉભેલા ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિ પાસેથી ગાડી ભાડાના પૈસા લેવા માટે કારખાનમાં ઘૂસીને ઇનોવાની પાછળ થાર ગાડી અથડાવી, 4 લાખનું કર્યું નુકશાન: આરોપી ફરાર મોરબીની તપોવન વિદ્યાલય પરિવાર દ્વારા શહિદ વીર જવાનના પરિવારને કરાઇ આર્થિક મદદ મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં અગાઉ થયેલ બે ઘરફોડ ચોરીના ગુનામાં ચિખલીગર ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: બે દિવસના રિમાન્ડ મંજૂર


SHARE











મોરબીમાં અગાઉ થયેલ બે ઘરફોડ ચોરીના ગુનામાં ચિખલીગર ગેંગનો વધુ એક સાગરીત પકડાયો: બે દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીની ખોડિયાર સોસાયટીમાં અને વિજયનગરના નાકા પાસે જુદાજુદા બે મકાનોને નિશાન બનાવીને ચોરી કરવામાં આવી હતી જે અંગેની બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ કરવામાં આવી હતી આ ગુનામાં વધુ એક આરોપીને પકડવામાં આવેલ છે.

મોરબીના ઇન્દિરાનગર નજીક આવેલ ખોડિયાર સોસાયટીમાં રહેતા સુખદેવભાઈ કરસનભાઈ સુરેલાના ઘરમાં ચોરી કરવામાં આવી હતી અને ત્યારે ઘરના દરવાજાના નકુચા તોડીને ઘરમાં પ્રવેશ કરીને ઘરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળીને 1.21 લાખના મુદામાલની ચોરી કરી હતી આવી જ રીતે વિજયનગર નાકા પાસે રહેતા જયંતીલાલ ગાંડુભાઈ સોલંકીના ઘરને નિશાન બનાવેલ હતું ત્યારે તેઓ પોતાના ઘરે નીચે રૂમમાં તાળું મારીને તેમના પત્ની અને સંતાનો સાથે ઘરમાં ઉપરના માળે અગાશી ઉપર સૂતા હતા ત્યારે અજાણ્યા શખ્સે તેના ઘરને નિશાન બનાવીને ઘરમાં પ્રવેશની ચોરી કરી હતી અને ત્યારે તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળીને 1,64,500 નો મુદામાલ લઈ ગયા હતા જે બંને ચોરીની ફરિયાદ બી ડિવિઝનમાં નોંધાઈ હતી અને પીઆઇ એન.એ. વસાવાના માર્ગદર્શન હેઠળ તપાસ કરવામાં આવી રહી હતી આ ગુનામાં પહેલા પોલીસે આરોપી સોનુસિંઘ શેરસિંઘ ખીચી નામના આરોપીની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં શેરસિંઘ ઉર્ફે સૂરજસિંઘ રણજીતસિંઘ ખીચી જાતે ચિખલીગર શીખ (43) રહે. હાલ ખોડિયાર કોલોની યોગેશ્વરધામ ઢીચડા રોડ જામનગર વાળાની ધરપકડ કરેલ છે અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.






Latest News