મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા મોરબીમાં આવેલ ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષા યોજાઇ


SHARE













વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા મોરબીમાં આવેલ ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષા યોજાઇ

મોરબીમાં શનાળા રોડે આવેલ ગીતાંજલી વિદ્યાલય ખાતે પ્રિ-SSC પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બોર્ડની પરીક્ષા આપવાના હોય તેવા ૧૧૦ વિદ્યાર્થીરજીસ્ટ્રેશન કરાવ્યુ હતું અને તેમાંથી ૯૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અત્રે ઉલેખનીય છે કે, ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC ૫રીક્ષાનુ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર આવ્યા હતા અને બોર્ડની પરિક્ષાની જેમ જ આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનો મુખ્ય હેતુ બોર્ડની પરીક્ષા પૂર્વે બાળકોને બોર્ડની પરીક્ષાનો અનુભવ થાય અને તેના મનમાંથી બોર્ડની પરીક્ષાને લઈને જે ડર હોય તે દુર થાય તેવો હતો. ખાસ કરીને પરિક્ષાના પહેલા દિવસે જે મુશકેલીઓ વિદ્યાર્થીઓને પડતી હોય છે તે ન પડે અને સરળતાથી તે પોતાની બેઠક વ્યવસ્થા સુધી પહોચી શકે અને પેપર લખતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાને લેવાની હોય છે તેની પણ માહિતી અને માગદર્શન બાળકોને આપવામાં આવ્યું હતું અને આવી જ રીતે આગામી દિવસોમાં ધો. ૬ થી ૮ અને ૧૧ આર્ટસ તેમજ કોમર્સની સ્કોલરશીપ પરીક્ષા યોજવામા આવશે. જેના માટેની વધુ વિગત માટે મો. ૭૦૧૬૨૭૮૯૦૭ અથવા ૮૪૦૧૪૬૦૬૪૧ ઉપર સંપર્ક કરવા માટે શાળાના સંચાલકોએ જણાવ્યુ છે.




Latest News