કચ્છ જીલ્લામાં યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવ–૨૦૨૫ ની ૩૧ સ્પર્ધાઓમાં ૫૦૦૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો: વિનોદભાઇ ચાવડા મોરબીમાં રવિવારે કરિયાણા મર્ચન્ટ એસો.ની મીટીંગ: નવા પ્રમુખ સહિતના હોદેદારોની કરશે વરણી અટલ બિહારી બાજપેયીની ૧૦૦ મી જન્મ જયંતી નિમિતે ટીબીના દર્દીઓને કચ્છના સાંસદ તરફથી પોષણ કીટનું વિતરણ કરાયું ડીઝલ ચોરી થાય તે પહેલા પોલીસ ત્રાટકી: માળીયા (મી)ના ફતેપર પાસેથી 36.10 લાખના મુદામાલ સાથે એકની ધરપકડ મોરબી નજીક કારખાનામાં કામ દરમ્યાન લીફ્ટમાં ફસાઈ જવાથી ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સાયબર ક્રાઇમના જુદાજુદા બે ગુનામાં બે સગાભાઈની ધરપકડ પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ બંધ કરી મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા તુલસી દિવસ ઉજવાયો મોરબી :માળીયા મીં.ની ભીમસર ચોકડી પાસે આઇસર હડફેટે માતાનું મોત, પુત્ર ઘાયલ
Breaking news
Morbi Today

વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા મોરબીમાં આવેલ ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષા યોજાઇ


SHARE











વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા મોરબીમાં આવેલ ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષા યોજાઇ

મોરબીમાં શનાળા રોડે આવેલ ગીતાંજલી વિદ્યાલય ખાતે પ્રિ-SSC પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બોર્ડની પરીક્ષા આપવાના હોય તેવા ૧૧૦ વિદ્યાર્થીરજીસ્ટ્રેશન કરાવ્યુ હતું અને તેમાંથી ૯૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અત્રે ઉલેખનીય છે કે, ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC ૫રીક્ષાનુ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર આવ્યા હતા અને બોર્ડની પરિક્ષાની જેમ જ આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનો મુખ્ય હેતુ બોર્ડની પરીક્ષા પૂર્વે બાળકોને બોર્ડની પરીક્ષાનો અનુભવ થાય અને તેના મનમાંથી બોર્ડની પરીક્ષાને લઈને જે ડર હોય તે દુર થાય તેવો હતો. ખાસ કરીને પરિક્ષાના પહેલા દિવસે જે મુશકેલીઓ વિદ્યાર્થીઓને પડતી હોય છે તે ન પડે અને સરળતાથી તે પોતાની બેઠક વ્યવસ્થા સુધી પહોચી શકે અને પેપર લખતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાને લેવાની હોય છે તેની પણ માહિતી અને માગદર્શન બાળકોને આપવામાં આવ્યું હતું અને આવી જ રીતે આગામી દિવસોમાં ધો. ૬ થી ૮ અને ૧૧ આર્ટસ તેમજ કોમર્સની સ્કોલરશીપ પરીક્ષા યોજવામા આવશે. જેના માટેની વધુ વિગત માટે મો. ૭૦૧૬૨૭૮૯૦૭ અથવા ૮૪૦૧૪૬૦૬૪૧ ઉપર સંપર્ક કરવા માટે શાળાના સંચાલકોએ જણાવ્યુ છે.






Latest News