મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું
Breaking news
Morbi Today

વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા મોરબીમાં આવેલ ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષા યોજાઇ


SHARE











વિદ્યાર્થીઓનો ડર દૂર કરવા મોરબીમાં આવેલ ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષા યોજાઇ

મોરબીમાં શનાળા રોડે આવેલ ગીતાંજલી વિદ્યાલય ખાતે પ્રિ-SSC પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બોર્ડની પરીક્ષા આપવાના હોય તેવા ૧૧૦ વિદ્યાર્થીરજીસ્ટ્રેશન કરાવ્યુ હતું અને તેમાંથી ૯૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અત્રે ઉલેખનીય છે કે, ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC ૫રીક્ષાનુ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર આવ્યા હતા અને બોર્ડની પરિક્ષાની જેમ જ આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનો મુખ્ય હેતુ બોર્ડની પરીક્ષા પૂર્વે બાળકોને બોર્ડની પરીક્ષાનો અનુભવ થાય અને તેના મનમાંથી બોર્ડની પરીક્ષાને લઈને જે ડર હોય તે દુર થાય તેવો હતો. ખાસ કરીને પરિક્ષાના પહેલા દિવસે જે મુશકેલીઓ વિદ્યાર્થીઓને પડતી હોય છે તે ન પડે અને સરળતાથી તે પોતાની બેઠક વ્યવસ્થા સુધી પહોચી શકે અને પેપર લખતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાને લેવાની હોય છે તેની પણ માહિતી અને માગદર્શન બાળકોને આપવામાં આવ્યું હતું અને આવી જ રીતે આગામી દિવસોમાં ધો. ૬ થી ૮ અને ૧૧ આર્ટસ તેમજ કોમર્સની સ્કોલરશીપ પરીક્ષા યોજવામા આવશે. જેના માટેની વધુ વિગત માટે મો. ૭૦૧૬૨૭૮૯૦૭ અથવા ૮૪૦૧૪૬૦૬૪૧ ઉપર સંપર્ક કરવા માટે શાળાના સંચાલકોએ જણાવ્યુ છે.






Latest News