ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના નગરદરવાજા ચોકથી જૂના બસ સ્ટેશન સુધી દબાણ-ગંદકી સાફ


SHARE













મોરબીના નગરદરવાજા ચોકથી જૂના બસ સ્ટેશન સુધી દબાણ-ગંદકી સાફ

મોરબીમાં છેલ્લા ઘણા સમયથી મહાપાલિકાની ટીમ દ્વારા દબાણો દૂર કરવા માટે અને ગંદકી સાફ કરવા માટેની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે અને જુદાજુદા વોર્ડમાં કામ કરવામાં આવી રહ્યું છે તેવામાં ગૂરૂવારે સવારે મોરબીના નગરદરવાજા ચોકથી જૂના બસ સ્ટેશન સુધી દબાણ દૂર કરવા માટે અને ગંદકીને દૂર કરવા માટેનું કામ કમિશનર સ્વપ્નિલ ખરેની હાજરીમાં શરૂ કરવામાં આવ્યું હતું અને ત્યારે જુદીજુદી સંસ્થાના લોકો પણ સફાઈ ઝુંબેશમાં જોડાયા હતા અને મોરબીના નગરદરવાજા ચોકથી જૂના બસ સ્ટેશન સુધી જેટલા પણ નાના મોટા દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા હતા અને તેમજ રોડ રસ્તા ઉપર ગંદકી હતી તેને સાફ કરી હતી અને કેટલાક વેપારીઓ પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલેખનીય છેકે, કમિશનરની હાજરીમાં મોરબીના નગરદરવાજા ચોકમાં તમામ દબાણોને દૂર તો કરવામાં આવેલ છે જો કે, હવે પાછા અહી દબાણો ન કરવામાં આવે તેના માટે વહેલી તકે જે કોઈ પણ આયોજન મહાપાલિકા દ્વારા કરવાનું હોય તે કરવામાં આવે તો કાયમી ધોરણે લોકોને ઘણી બધી વર્ષો જૂની સમસ્યાથી મુક્તિ મળશે તે નિશ્ચિત છે.






Latest News