માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીમાં જ્ઞાનપથ સ્કૂલ આસપાસથી રજડતા ઢોરને પકડવા કોંગ્રેસની માંગ


SHARE













મોરબીમાં જ્ઞાનપથ સ્કૂલ આસપાસથી રજડતા ઢોરને પકડવા કોંગ્રેસની માંગ

મોરબી શહેરમાં શનાળા રોડ ઉપર આવેલા હાઉસિંગ બોર્ડમાં જ્ઞાનપથ સ્કૂલની સામે છેલ્લા ઘણા સમયથી આખલાઓનો ત્રાસ છે અને આખલા યુધ્ધ ગમે ત્યારે થયા છે જેથી બાળકો સહિતના ઉપર સતત જોખમ રહે છે ત્યારે આ વિસ્તારમાંથી રજડતા ઢોરને પકડવામાં આવે તેવી મોરબી શહેર કોંગ્રેસના સંગઠન મંત્રીએ મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરેલ છે

મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજાએ હાલમાં મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે અને ઘણી વખત લોકોને રજડતા ઢોર ગંભીર ઇજાઓ કરે છે અને વાહનોમાં નુકશાન પણ કરે છે આટલુજ નહીં અકસ્માત પણ થાય છે જેથી લોકો રજડતા ઢોરના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે શહેરના વોર્ડ નં. ૯ માં શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં જ્ઞાનપથ સ્કૂલની સામે છેલ્લા ઘણા સમયથી આખલાઓનો ત્રાસ છે જેથી લોકો અને સ્કૂલે જતા બાળકો સહિતનાઓની ઉપર સતત જોખમ રહે છે ત્યારે ભવિષ્યમાં કોઈ જીવલેણ અકસ્માત થાય તેની રાહ જોયા વગર વહેલી તકે રજડતા ઢોરને પકડવા માટેનું કામ કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News