માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો
Breaking news
Morbi Today

મોરબીમાં જ્ઞાનપથ સ્કૂલ આસપાસથી રજડતા ઢોરને પકડવા કોંગ્રેસની માંગ


SHARE







મોરબીમાં જ્ઞાનપથ સ્કૂલ આસપાસથી રજડતા ઢોરને પકડવા કોંગ્રેસની માંગ

મોરબી શહેરમાં શનાળા રોડ ઉપર આવેલા હાઉસિંગ બોર્ડમાં જ્ઞાનપથ સ્કૂલની સામે છેલ્લા ઘણા સમયથી આખલાઓનો ત્રાસ છે અને આખલા યુધ્ધ ગમે ત્યારે થયા છે જેથી બાળકો સહિતના ઉપર સતત જોખમ રહે છે ત્યારે આ વિસ્તારમાંથી રજડતા ઢોરને પકડવામાં આવે તેવી મોરબી શહેર કોંગ્રેસના સંગઠન મંત્રીએ મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરેલ છે

મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજાએ હાલમાં મહાપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે અને ઘણી વખત લોકોને રજડતા ઢોર ગંભીર ઇજાઓ કરે છે અને વાહનોમાં નુકશાન પણ કરે છે આટલુજ નહીં અકસ્માત પણ થાય છે જેથી લોકો રજડતા ઢોરના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે શહેરના વોર્ડ નં. ૯ માં શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં જ્ઞાનપથ સ્કૂલની સામે છેલ્લા ઘણા સમયથી આખલાઓનો ત્રાસ છે જેથી લોકો અને સ્કૂલે જતા બાળકો સહિતનાઓની ઉપર સતત જોખમ રહે છે ત્યારે ભવિષ્યમાં કોઈ જીવલેણ અકસ્માત થાય તેની રાહ જોયા વગર વહેલી તકે રજડતા ઢોરને પકડવા માટેનું કામ કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News