હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જુદાજુદા બગીચાઓમાં રમત ગમતના સાધનો અને લોકોને બેસવા માટે બાકડા મૂકવાની માંગ


SHARE













મોરબીમાં જુદાજુદા બગીચાઓમાં રમત ગમતના સાધનો અને લોકોને બેસવા માટે બાકડા મૂકવાની માંગ

મોરબી મહાપાલીકામાં રીનોવેશન થાય તો બગીચામાં બાળકોને રમવાના સાધનો, પુલ ઉપર વડીલો સહિતના લોકોને બેસવા માટેના બાકડા કયારે નાખવામાં આવશે તેવો અધીદાર સવાર મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવેલ છે.

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ, ગીરશભાઇ છબીલભાઈ કોટેચાએ મહાપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી મહાપાલીકા બની પછી મોરબીમાં ફરવા જેવા સ્થળ હોવા જોઇએ જેમાં હાલ શનાળા રોડ ઉપર આવેલા સરદાર બાગમાં જે ગ્રાન્ટ ફાળવવામાં આવી તે ખુબજ સારી વાત છે પણ શું ? મહાનગર પાલીકાના અધીકારીને જાણ નથી કે મોરબીમાં અન્ય પણ બાગ-બગીચા ભંગાર હાલતમાં છે જેમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ સુરજબાગ, રાણીબાગ, મણીમંદીર, અને સામાંકાંઠે વિસ્તારમાં આવેલ કેસરબાગ વગેરેનો સમાવેશ થાય છે અને ત્યાં કયારે ગ્રાન્ટ આપવામાં આવશે અને લોકોને કયારે સારી સુવિધા મળશે ? વધુમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા સમક્ષ જાગૃત સામાજીક કાર્યકરોમોરબીના લોકો વતી માંગ કરી છે કે, તો દ્વારા પણ બાગ-બગીચામા તાત્કાલીક ગ્રાન્ટ આપવામાં આવે અને તેનો વિકાસ કરવામાં આવે તે જરૂરી છે. ખાસ કરીને બાળકોને રમવા માટે બગીચામાં લફસીયા, હીંચકા વિગેરે કોઈ સાધનો નથી અને વડીલો સહિતના લોકોને બેસવા માટેની કોઈ વ્યવસ્થા નથી. અને રાજાશાહી વખતનુ પીકનીક સેન્ટર હાલ ખંઢેર બની ગયેલ છે. તેનો પણ વિકાસ થાય તો મોરબીના સામાકાંઠા વિસ્તારના લોકોને ફરવાનુ એક સ્થળ મળે તેમ છે. આટલું જ નહીં મોરબીના મયુરપુલ ઉપર લોકોને બેસવા માટે બાકડા મૂકવામાં આવે તે પણ જરૂરી છે.






Latest News