મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

થાનમાં મગફળીનો જથ્થો બળીને ખાખ થવાની ઘટનાથી નાફેડને કોઇ નુકસાન થશે નહીં: મોહનભાઇ કુંડારીયા


SHARE













સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવેલ મગફળીનો જથ્થો વેરહાઉસમાં રાખવામાં આવ્યો હતો તે ગોડાઉનમાં આગ લાગી હતી જેથી કરીને 25,600 ગુણી જેટલી મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે જોકે આ ઘટનાથી નાફેડને કોઇ નુકસાન થશે નહીં તેવું નાફેડના ડિરેક્ટર મોહનભાઈ કુંડારીયા જણાવ્યું છે જોકે આ ઘટનામાં સત્ય બહાર આવે તે માટે થઈને નાફેડ તથા સીડબ્લ્યુસી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર અને એસપીને પત્ર લખવામાં આવ્યો છે

છેલ્લા ઘણા વર્ષોથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી અને ત્યારબાદ મગફળી જે ગોડાઉનમાં રાખવામાં આવી હોય ત્યાં આગ અકસ્માતની ઘટનાઓ બને તેવી અનેક ઘટનાઓ બની છે અને ગઈકાલે જ સુરેન્દ્રનગર જિલ્લાના થાન ખાતે જે વેરહાઉસની અંદર સીડબ્લ્યુસી દ્વારા મગફળીનો જથ્થો રાખવામાં આવ્યો હતો તેમાં આગ લાગી હતી અને આગ લાગવાના લીધે 25,600 ગુણી મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે આ બાબતે મોરબીમાં રહેતા નાફેડના ડિરેક્ટર મોહનભાઈ કુંડારીયા સાથે વાત કરતા તમને જણાવ્યું હતું કે ગઈકાલે થાનમાં વેરહાઉસ ની અંદર આગ લાગવાની ઘટના બનેલ છે જેમાં 25,600 ગુણી મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે જોકે આ મગફળી બળી જવાના કારણે નાફેડને કોઈ નુકસાન થશે નહીં કારણકે 100 ટકા વીમો લેવામાં આવ્યો છે જોકે આગ લાગવાની આ ઘટનામાં સત્ય બહાર આવે અને દોષિતોની સામે પગલાં લેવાય તે માટે તેને નાફેડ અને સીડબ્લ્યુસી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર અને એસપીને પત્ર લખવામાં આવ્યો છે






Latest News