રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં આત્મનિર્ભર ગ્રામયાત્રા અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસે વિવિધ પ્રવૃતિનું આયોજન કરાયું


SHARE









મોરબીમાં આત્મનિર્ભર ગ્રામયાત્રા અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસે વિવિધ પ્રવૃતિનું આયોજન કરાયું

દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત "આઝાદી કા અમૃત મહોત્સવ" અભિયાન અંતર્ગત ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તા. ૧૮ થી ૨૦ નવેમ્બર દરમ્યાન રાજ્યના તમામ જિલ્લામાં "આત્મનિર્ભર ગ્રામ યાત્રા" યોજાઈ રહી છે ત્યારે વિશ્વ શૌચાલય દિવસ નિમિતે મોરબી જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા મોરબી તાલુકાના ત્રાજપર ગામેથી તેમજ હળવદ તાલુકાના ચરાડવા ગામેથી રથ યાત્રાનો શુભ આરંભ થયો હતો. જે અંતર્ગત ગ્રામ્યજનોએ મોટી સંખ્યામાં રથમાં દર્શાવતી રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગેની ફિલ્મ નિહાળી વિવિધ યોજનાઓ અંગેની જાણકારી મેળવી હતી આત્મનિર્ભર ગ્રામ યાત્રા દરમિયાન વિશ્વ શૌચાલય દિવસ નિમિતે મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામ્ય કક્ષાનાં શૌચાલયોને શણગારી શૌચાલય ઉપયોગ માટે અલગ અલગ લોકજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરી ગામડાના છેવાડાના લોકોને લાભ મળે તેમજ શૌચાલય ઉપયોગ કરે સ્વચ્છતા જાળવે તેવા ઉદેશ્યથી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.






Latest News