મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીની સરકારી હોસ્પિટલની ડ્રેનેજની સમસ્યાનો કાયમી ઉકેલ લાવતાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રૂ.૯૭.૬૩ લાખ મંજુર


SHARE











મોરબીની સરકારી હોસ્પિટલની ડ્રેનેજની સમસ્યાનો કાયમી ઉકેલ લાવતાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રૂ.૯૭.૬૩ લાખ મંજુર

મોરબીની સરકારી હોસ્પિટલમાં વારંવાર સર્જાતી ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રાજ્ય સરકારના શ્રમ અને રોજ્ગાર, પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા આરોગ્ય મંત્રીને સત્વરે આ સમસ્યાનુ નિવારણ લાવવા માટે રજુઆત કરવામાં આવેલ હતી.જે અન્વયે આજે રાજય સરકાર દ્વારા મોરબી સરકારી હોસ્પીટલને રૂ.૯૭.૬૩ લાખ રકમ ફાળવવામાં આવેલ છે અને કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટે મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા સ્થાનીક સતાધીશો તેમજ સરકારી અધિકારીઓ અને ખાસ કરીને પબ્લિક હેલ્થ યુનિટ (PIU) ના અધિકારીઓને સુચના આપેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મોરબીની સરકારી હોસ્પીટલમાં ડ્રેનેજ ઉભરાવાના પ્રશ્નો વારંવાર ઉદ્દભવતા હતા જેની મંત્રી દ્વારા નગરપાલિકાના અધિકારીઓને સૂચના આપેલી જેનો ઉકેલ નગરપાલિકા દ્વારા લાવવામાં આવેલ હતો.પરંતુ હવે રાજય સરકાર દ્વારા આ રકમ ફાળવતા આ સમસ્યાનો કાયમી ધોરણે અંત આવશે અને પ્રજાના સ્વાસ્થ્ય સુખાકારીમાં વધારો થશે.






Latest News