રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીની સરકારી હોસ્પિટલની ડ્રેનેજની સમસ્યાનો કાયમી ઉકેલ લાવતાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રૂ.૯૭.૬૩ લાખ મંજુર


SHARE









મોરબીની સરકારી હોસ્પિટલની ડ્રેનેજની સમસ્યાનો કાયમી ઉકેલ લાવતાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રૂ.૯૭.૬૩ લાખ મંજુર

મોરબીની સરકારી હોસ્પિટલમાં વારંવાર સર્જાતી ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રાજ્ય સરકારના શ્રમ અને રોજ્ગાર, પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા આરોગ્ય મંત્રીને સત્વરે આ સમસ્યાનુ નિવારણ લાવવા માટે રજુઆત કરવામાં આવેલ હતી.જે અન્વયે આજે રાજય સરકાર દ્વારા મોરબી સરકારી હોસ્પીટલને રૂ.૯૭.૬૩ લાખ રકમ ફાળવવામાં આવેલ છે અને કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટે મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા સ્થાનીક સતાધીશો તેમજ સરકારી અધિકારીઓ અને ખાસ કરીને પબ્લિક હેલ્થ યુનિટ (PIU) ના અધિકારીઓને સુચના આપેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મોરબીની સરકારી હોસ્પીટલમાં ડ્રેનેજ ઉભરાવાના પ્રશ્નો વારંવાર ઉદ્દભવતા હતા જેની મંત્રી દ્વારા નગરપાલિકાના અધિકારીઓને સૂચના આપેલી જેનો ઉકેલ નગરપાલિકા દ્વારા લાવવામાં આવેલ હતો.પરંતુ હવે રાજય સરકાર દ્વારા આ રકમ ફાળવતા આ સમસ્યાનો કાયમી ધોરણે અંત આવશે અને પ્રજાના સ્વાસ્થ્ય સુખાકારીમાં વધારો થશે.






Latest News