મોરબીમાં આત્મનિર્ભર ગ્રામયાત્રા અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસે વિવિધ પ્રવૃતિનું આયોજન કરાયું
મોરબીની સરકારી હોસ્પિટલની ડ્રેનેજની સમસ્યાનો કાયમી ઉકેલ લાવતાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રૂ.૯૭.૬૩ લાખ મંજુર
SHARE
મોરબીની સરકારી હોસ્પિટલની ડ્રેનેજની સમસ્યાનો કાયમી ઉકેલ લાવતાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા, રૂ.૯૭.૬૩ લાખ મંજુર
મોરબીની સરકારી હોસ્પિટલમાં વારંવાર સર્જાતી ડ્રેનેજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે રાજ્ય સરકારના શ્રમ અને રોજ્ગાર, પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા આરોગ્ય મંત્રીને સત્વરે આ સમસ્યાનુ નિવારણ લાવવા માટે રજુઆત કરવામાં આવેલ હતી.જે અન્વયે આજે રાજય સરકાર દ્વારા મોરબી સરકારી હોસ્પીટલને રૂ.૯૭.૬૩ લાખ રકમ ફાળવવામાં આવેલ છે અને કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટે મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા સ્થાનીક સતાધીશો તેમજ સરકારી અધિકારીઓ અને ખાસ કરીને પબ્લિક હેલ્થ યુનિટ (PIU) ના અધિકારીઓને સુચના આપેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા મોરબીની સરકારી હોસ્પીટલમાં ડ્રેનેજ ઉભરાવાના પ્રશ્નો વારંવાર ઉદ્દભવતા હતા જેની મંત્રી દ્વારા નગરપાલિકાના અધિકારીઓને સૂચના આપેલી જેનો ઉકેલ નગરપાલિકા દ્વારા લાવવામાં આવેલ હતો.પરંતુ હવે રાજય સરકાર દ્વારા આ રકમ ફાળવતા આ સમસ્યાનો કાયમી ધોરણે અંત આવશે અને પ્રજાના સ્વાસ્થ્ય સુખાકારીમાં વધારો થશે.