મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીમાં આવતા મુખ્યમંત્રીને જમીન કોભાંડમા અધિકારીઓની મિલી ભગત સહિતના મુદે આપ દ્વારા કરાશે રજૂઆત


SHARE













મોરબીમાં આવતા મુખ્યમંત્રીને જમીન કોભાંડમા અધિકારીઓની મિલી ભગત સહિતના મુદે આપ દ્વારા કરાશે રજૂઆત

મોરબીમાં આગામી દિવસોમાં મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગરીબ માણસોની જમીનોના કોભાંડમા અધિકારીઓની મિલી ભગત, સરકારી કચેરીમાં એજન્ટો મારફતે વહીવટ સહિતના મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે.

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી એક વિરોધ પક્ષ તરીખે છેલ્લા ઘણા સમયથી કામગીરી કરવામાં આવી રહી છે અને આવનારા સમયમા મુખ્યમંત્રી મોરબી આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરિયા દ્વારા મોરબીની જનતાને અપીલ કરવામા આવી છે કે, પોતપોતાના વિસ્તારના જે કોઈ પ્રાણ પ્રશ્નો હોય તે આમ આદમી પાર્ટીના કાર્યાલયે બે દિવસમાં આપવામાં આવે તો પ્રશ્ન ઉકેવા માટેના પ્રયાસો કરવામાં આવશે. અને ખાસ કરીને લોકોને દરેક કામ માટે પૈસા આપવા પડે છે, મોરબી જીલ્લામા ઠેર ઠેર દારૂના ખુલ્લેઆમ ધંધા ચાલુ છે, છેલ્લા ઘણા સમયથી પોલીસ તંત્રની કથળતી પરિસ્થિતિ, કચેરીઓની અંદર એજન્ટો દ્વારા થતા વહીવટ, ગરીબ માણસોની જમીનોના કોભાંડમા અધિકારીઓની મિલી ભગત આવા ઘણા બધા મુદ્દાઓ લેખીતમા મુખ્ય મંત્રીનો સમય માંગીને રૂબરૂ ચર્ચા કરીને રજૂઆત કરવામાં આવશે.






Latest News