મોરબી નજીકથી પાયલોટિંગ સાથે અબોલજીવને કતલખાને લઈ જવાનો મામલે: વધુ બે ની ધરપકડ મોરબીના મચ્છુ-2 ડેમ નજીક આવેલ પુલ ઉપરની નીચે ઝંપલાવીને યુવતીએ કર્યો આપઘાત મોરબી : વિન્ટેલ ફાઉન્ડેશનએ શિક્ષણ સહાય અર્થે શાળાને એક લાખનું અનુદાન અર્પણ કર્યું મોરબીમાં ઓમ વીવીઆઈએમ કોલેજમાં યુવતીઓ માટે જાગૃતિનો સેમીનાર યોજાયો મોરબીના પંચાસર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો આવશે કાયમી અંત મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી શાખા દ્વારા આશ્રયગૃહ માટે નાઈટ-ડ્રાઈવ યોજાઇ મોરબીમાં રિપેરિંગ માટે 33 દિવસથી બંધ રાખવામા આવેલ પાડાપુલ કામ પૂરું થઈ જતાં ટ્રાફિક માટે ખુલ્લો મૂકયો વાંકાનેર ખાતે ૨૦ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં આવતા મુખ્યમંત્રીને જમીન કોભાંડમા અધિકારીઓની મિલી ભગત સહિતના મુદે આપ દ્વારા કરાશે રજૂઆત


SHARE













મોરબીમાં આવતા મુખ્યમંત્રીને જમીન કોભાંડમા અધિકારીઓની મિલી ભગત સહિતના મુદે આપ દ્વારા કરાશે રજૂઆત

મોરબીમાં આગામી દિવસોમાં મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગરીબ માણસોની જમીનોના કોભાંડમા અધિકારીઓની મિલી ભગત, સરકારી કચેરીમાં એજન્ટો મારફતે વહીવટ સહિતના મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે.

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી એક વિરોધ પક્ષ તરીખે છેલ્લા ઘણા સમયથી કામગીરી કરવામાં આવી રહી છે અને આવનારા સમયમા મુખ્યમંત્રી મોરબી આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરિયા દ્વારા મોરબીની જનતાને અપીલ કરવામા આવી છે કે, પોતપોતાના વિસ્તારના જે કોઈ પ્રાણ પ્રશ્નો હોય તે આમ આદમી પાર્ટીના કાર્યાલયે બે દિવસમાં આપવામાં આવે તો પ્રશ્ન ઉકેવા માટેના પ્રયાસો કરવામાં આવશે. અને ખાસ કરીને લોકોને દરેક કામ માટે પૈસા આપવા પડે છે, મોરબી જીલ્લામા ઠેર ઠેર દારૂના ખુલ્લેઆમ ધંધા ચાલુ છે, છેલ્લા ઘણા સમયથી પોલીસ તંત્રની કથળતી પરિસ્થિતિ, કચેરીઓની અંદર એજન્ટો દ્વારા થતા વહીવટ, ગરીબ માણસોની જમીનોના કોભાંડમા અધિકારીઓની મિલી ભગત આવા ઘણા બધા મુદ્દાઓ લેખીતમા મુખ્ય મંત્રીનો સમય માંગીને રૂબરૂ ચર્ચા કરીને રજૂઆત કરવામાં આવશે.




Latest News