દેશભરમાં કરોડો મોબાઇલમાં સાથે મળશે SMS વાંકાનેર પાસેના માટેલ ધામ ખાતે ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના વનાળિયા ગામે છરીના ઘા મારીને યુવાનની હત્યા કરનારા કૌટુંબિક કાકાની ધરપકડ મોરબી જીલ્લામાં મોલ, મલ્ટીપ્લેક્ષ, પેટ્રોલપંપ સહિતના સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં 31 મે સુધી હથિયારબંધી: ચારથી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબીના રાજપર ગામનો બનાવ: દીકરાની જે મહિલા સાથે સગાઈ કરાવી તેના પૂર્વ પતિ સહિત ત્રણ શખ્સોએ આધેડને ધોકા-પાઇપથી માર માર્યો માળીયા (મી)ના ચાચાવદરડા નજીકથી રીક્ષાને છોટાહાથીના ચાલકે ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત: 4 ને ઇજા વાંકાનેરમાં કંપનીના એકાઉન્ટન્ટે 56.59 લાખ રૂપિયા માતા-માસીના એકાઉન્ટમાં જમા કરાવીને કર્યો વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વિશાલનગરમાં ખેડૂતના જીરૂના પાકને એક શખ્સે આગ ચાંપી દીધી


SHARE













માળીયા (મી)ના વિશાલનગરમાં ખેડૂતના જીરૂના પાકને એક શખ્સે આગ ચાંપી દીધી

માળીયા મીયાણા તાલુકાના સુલતાનપુર ગામની બાજુમાં આવેલ વિશાલનગરમાં રહેતા ખેડૂતો દ્વારા જીરૂનો પાક મહામહેનત કરીને લેવામાં આવ્યો હતો અને તે તૈયાર જીરૂના પાક ઉપર સોમવારે બપોરના સમયે આ જ ગામની અંદર રહેતા એક શખ્સ દ્વારા આગ ચાંપી દેવામાં આવી હતી જેથી લગભગ એક વીઘા જેટલી જમીનમાં જે જીરૂનો પાક લેવામાં આવ્યો હતો તે પાક બળીને ખાખ થઈ ગયો છે જેથી કરીને ખેડૂતને 35 થી 40 હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના સુલતાનપુર ગામની બાજુમાં આવેલ વિશાલનગરમાં રહેતા રતિલાલ નરસીભાઇ દસાડીયા દ્વારા જીરૂના પાકની ખેતી કરવામાં આવી હતી અને તેઓએ અંદાજે એક વીઘા જેટલી જમીનમાં જે જીરૂનો પાક લીધો હતો અને તે તૈયાર પાક ત્યાં રાખવામાં આવ્યો હતો દરમિયાન સોમવારે બપોરે 11 થી 12 વાગ્યાના અરસામાં વિશાલનગર ખાતે જ રહેતા જયસુખભાઈ જેન્તીભાઈ નામના શખ્સે ત્યાં આવીને જીરૂના પાકનો જે ઢગલો કરવામાં આવ્યો હતો ત્યાં આગ ચાંપી દેવામાં આવી હતી જેથી રતિલાલ દસાડિયા દ્વારા જે જીરૂનો પાક લેવામાં આવ્યો હતો તે પાક બળીને ખાખ થઈ ગયો હતો અને અંદાજે 35થી 40 હજાર રૂપિયાનું નુકસાન થયેલ છે આ અંગેની ખેડૂતો દ્વારા માળિયા મિયાણા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું ગ્રામજનો પાસેથી જાણવા મળી રહ્યું છે.






Latest News