મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીમાં કામની ગુણવતા જોવા મુખ્યમંત્રીને જુદાજુદા માર્ગોની મુલાકાત લેવા કોંગ્રેસનું આમંત્રણ


SHARE













મોરબીમાં કામની ગુણવતા જોવા મુખ્યમંત્રીને જુદાજુદા માર્ગોની મુલાકાત લેવા કોંગ્રેસનું આમંત્રણ

મોરબીમાં કેટલાક રસ્તાની હાલત દાયનીય છે ત્યારે મોરબી શહેરમાં આવી રહેલા મુખ્યમંત્રી તે રસ્તાની મુલાકત લે તે જરૂરી છે જેથી કરીને મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા વાવડી રોડ, પંચાસર રોડ, રવાપર રોડ અને રેલ્વે સ્ટેશનથી વી.સી. ફાટક સુધીના રોડની મુલાકાત લેવામાં આવે તેવી માંગ કરેલ છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીમાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા અને મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબીના દયનીય રસ્તાની મુલાકાત લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, સરકાર રોડ-રસ્તાની ગુણવતા અને ઝીરો ટોલરન્સથી ભષ્ટાચાર નાબુદીની વાત કરી રહી છે તેવા સમયે આગામી તા. ૨૬ માર્ચના રોજ મુખ્યમંત્રી મોરબી આવી રહ્યા છે ત્યારે મોરબીમાં વાવડી રોડ અને રેલ્વે સ્ટેશનથી વી.સી. ફાટક સુધીના રોડની મુલાકાત લેવામાં આવે તે જરૂરી છે કેમ કે, રેલ્વે સ્ટેશનથી વી.સી. ફાટક સુધીનો રોડ બાવીસ વર્ષ પહેલા બનેલ છે તો પણ તે રોડમાં આજની તારીખે કાંકરી નીકળી નથી અને વાવડી રોડ આશરે આઠ કરોડના ખર્ચે વર્ષ ૨૦૨૦ માં શરૂ થયો હતો અને બે વર્ષે પણ તેનું કામ પૂરું કરવામાં આવ્યું નથી અને ત્યાં ઉપયોગમાં લેવામાં આવેલ મટિરિયલ્સ બાબતે અગાઉ રજૂઆતો પણ કરવામાં આવી હતી જો કે, કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને તાજેતરમાં બનેલ રવાપર અને પંચાસર રોડની હાલત પણ કંઈક આવી જ છે. ત્યારે આ રોડની મુલાકાત લેવામાં આવે તો મોરબીમાં કેવા કામ થાય છે અને કેટલો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેની પોલ ખૂલે તેમ છે.






Latest News