તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં કામની ગુણવતા જોવા મુખ્યમંત્રીને જુદાજુદા માર્ગોની મુલાકાત લેવા કોંગ્રેસનું આમંત્રણ


SHARE











મોરબીમાં કામની ગુણવતા જોવા મુખ્યમંત્રીને જુદાજુદા માર્ગોની મુલાકાત લેવા કોંગ્રેસનું આમંત્રણ

મોરબીમાં કેટલાક રસ્તાની હાલત દાયનીય છે ત્યારે મોરબી શહેરમાં આવી રહેલા મુખ્યમંત્રી તે રસ્તાની મુલાકત લે તે જરૂરી છે જેથી કરીને મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા વાવડી રોડ, પંચાસર રોડ, રવાપર રોડ અને રેલ્વે સ્ટેશનથી વી.સી. ફાટક સુધીના રોડની મુલાકાત લેવામાં આવે તેવી માંગ કરેલ છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીમાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા અને મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબીના દયનીય રસ્તાની મુલાકાત લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, સરકાર રોડ-રસ્તાની ગુણવતા અને ઝીરો ટોલરન્સથી ભષ્ટાચાર નાબુદીની વાત કરી રહી છે તેવા સમયે આગામી તા. ૨૬ માર્ચના રોજ મુખ્યમંત્રી મોરબી આવી રહ્યા છે ત્યારે મોરબીમાં વાવડી રોડ અને રેલ્વે સ્ટેશનથી વી.સી. ફાટક સુધીના રોડની મુલાકાત લેવામાં આવે તે જરૂરી છે કેમ કે, રેલ્વે સ્ટેશનથી વી.સી. ફાટક સુધીનો રોડ બાવીસ વર્ષ પહેલા બનેલ છે તો પણ તે રોડમાં આજની તારીખે કાંકરી નીકળી નથી અને વાવડી રોડ આશરે આઠ કરોડના ખર્ચે વર્ષ ૨૦૨૦ માં શરૂ થયો હતો અને બે વર્ષે પણ તેનું કામ પૂરું કરવામાં આવ્યું નથી અને ત્યાં ઉપયોગમાં લેવામાં આવેલ મટિરિયલ્સ બાબતે અગાઉ રજૂઆતો પણ કરવામાં આવી હતી જો કે, કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને તાજેતરમાં બનેલ રવાપર અને પંચાસર રોડની હાલત પણ કંઈક આવી જ છે. ત્યારે આ રોડની મુલાકાત લેવામાં આવે તો મોરબીમાં કેવા કામ થાય છે અને કેટલો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેની પોલ ખૂલે તેમ છે.






Latest News