મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં કામની ગુણવતા જોવા મુખ્યમંત્રીને જુદાજુદા માર્ગોની મુલાકાત લેવા કોંગ્રેસનું આમંત્રણ


SHARE











મોરબીમાં કામની ગુણવતા જોવા મુખ્યમંત્રીને જુદાજુદા માર્ગોની મુલાકાત લેવા કોંગ્રેસનું આમંત્રણ

મોરબીમાં કેટલાક રસ્તાની હાલત દાયનીય છે ત્યારે મોરબી શહેરમાં આવી રહેલા મુખ્યમંત્રી તે રસ્તાની મુલાકત લે તે જરૂરી છે જેથી કરીને મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા વાવડી રોડ, પંચાસર રોડ, રવાપર રોડ અને રેલ્વે સ્ટેશનથી વી.સી. ફાટક સુધીના રોડની મુલાકાત લેવામાં આવે તેવી માંગ કરેલ છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીમાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા અને મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબીના દયનીય રસ્તાની મુલાકાત લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, સરકાર રોડ-રસ્તાની ગુણવતા અને ઝીરો ટોલરન્સથી ભષ્ટાચાર નાબુદીની વાત કરી રહી છે તેવા સમયે આગામી તા. ૨૬ માર્ચના રોજ મુખ્યમંત્રી મોરબી આવી રહ્યા છે ત્યારે મોરબીમાં વાવડી રોડ અને રેલ્વે સ્ટેશનથી વી.સી. ફાટક સુધીના રોડની મુલાકાત લેવામાં આવે તે જરૂરી છે કેમ કે, રેલ્વે સ્ટેશનથી વી.સી. ફાટક સુધીનો રોડ બાવીસ વર્ષ પહેલા બનેલ છે તો પણ તે રોડમાં આજની તારીખે કાંકરી નીકળી નથી અને વાવડી રોડ આશરે આઠ કરોડના ખર્ચે વર્ષ ૨૦૨૦ માં શરૂ થયો હતો અને બે વર્ષે પણ તેનું કામ પૂરું કરવામાં આવ્યું નથી અને ત્યાં ઉપયોગમાં લેવામાં આવેલ મટિરિયલ્સ બાબતે અગાઉ રજૂઆતો પણ કરવામાં આવી હતી જો કે, કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને તાજેતરમાં બનેલ રવાપર અને પંચાસર રોડની હાલત પણ કંઈક આવી જ છે. ત્યારે આ રોડની મુલાકાત લેવામાં આવે તો મોરબીમાં કેવા કામ થાય છે અને કેટલો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેની પોલ ખૂલે તેમ છે.






Latest News