લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના નવલખી બંદરે સુવિધાઓમાં વધારો કરવા ચેમ્બર કોમર્સના પ્રમુખની મુખ્યમંત્રીને રજૂઆત


SHARE

















મોરબી જિલ્લાના નવલખી બંદરે સુવિધાઓમાં વધારો કરવા ચેમ્બર કોમર્સના પ્રમુખની મુખ્યમંત્રીને રજૂઆત

માળિયા (મી)ના નવલખી બંદરે હાલમાં જે સુવિધાઓ છે તેમાં આધુનિક સુવિધાનો ઉમેરો કરીને સુવિધામાં વધારો કરવામાં આવે તે જરૂરી છે જેથી કરીને નવલખી બંદરે  વિકાસ કરવાની માંગ સાથે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે.

હાલમાં મોરબી ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રીને જે રજૂઆત કરવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લાના એકમાત્ર ઓલ વેધર નવલખી બંદર આવેલ છે જે બંદરને લાગુ પડતા મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ સહિતના જીલ્લાઓ ઉદ્યોગ અને વેપાર ધંધા જોડાયેલ છે નવલખી બંદર પર સરકાર અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા SOP ના નિયમો લાગુ કરવામાં આવ્યા છે બંદર એક આદર્શ પરિસ્થિતિની રચના થયેલ છે જેના હિસાબે આયાતકારો અને હેન્ડલિંગ એજન્ટો માટે એક વ્યાપારિક દ્રષ્ટીએ શ્રેષ્ઠ નીતિ સ્થાપિત થયેલ છે કાર્ગો સ્ટોરેજ માટે એક તરફી નીતિ નષ્ટ થયેલ છે નવલખી બંદરેથી આયાત-નિકાસ થતો કાર્ગો ભારતના અન્ય રાજ્ય જેવા કે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ અને યુપી સહિતના રાજ્યોને લોજીસ્ટીક કોસ્ટમાં ફાયદાકારક છે જેથી નવલખી બંદરનો વિકાસ કરવો અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે

નવલખી બંદર પર જેટી બનાવેલ છે તે જેટી અને નવલખી ચેંક (ક્રિક) માં ડ્રેજીંગની જરૂરિયાત છે જો ત્યાં ડ્રેજીંગ કરવામાં આવે તો જેટી પરથી કન્ટેનર બાર્જીસ/કાર્ગો બાર્જીસનું લોડીંગ અને અનલોડીંગ થઇ શકે. કંડલા બંદરે વર્ષોથી જે ડ્રેજીંગ કરવામાં આવે છે તે ડ્રેજીંગનો કાદવ અને કાંપ ભરતી ઓટ સમયે નવલખી બંદર પર આવે છે નવલખી બંદરે દરિયાઈ પાણીની ઊંડાઈ ઓછી થતી જાય છે જેને લીધે ચેનલોમાં પુરાણ થતું જાય છે જેથી શીપો હાલ ૯ થી ૧૧ મીટરના ડ્રાફ્ટમાં નવલખી ઇનર વર્કિંગ એન્કરેજમાં આવે છે અગાઉ તેજ શીપો ૧૨ થી 14 મીટરના ડ્રાફ્ટમાં આવતી હતી જેથી ૨૪ કલાક બાર્જીસની મુવમેન્ટ થતી નથી જો કંડલા પોર્ટના ડ્રેજીંગનો કાદવ કાંપ નવલખી બંદર ઉપર જે આવે છે તે જો બંધ કરવામાં નહિ આવે તો ભવિષ્યમાં નવલખી બંદર બંધ થવાની શક્યતા છે

નવલખી બંદર પર હાલ કોલ હેન્ડલિંગ થાય છે ઉપરાંત અન્ય કાર્ગો જેવા કે ફર્ટીલાઈઝર, સોલ્ટ, ફૂડ ગ્રેઇન, બોકસાઈડ, કલીન્કર, ઇન્ડસ્ટ્રીયલ જીપ્સમ, સિરામિક અને અન્ય પ્રોડક્ટ્સ માટે પોર્ટમાં અલગથી સ્ટોરેજ માટે હયાત સ્ટોરેજ છે તેમાંથી જ સ્ટોરેજ માટે અલગ સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ જેથી વ્હાઈટ તેમજ અન્ય કાર્ગોની આયાત નિકાસ થઇ શકે. મોરબી સિરામિક, પેપરમિલ, સેનેટરી વેર્સ, ઘડિયાળ, પોલીપેક, ઓટોમોબાઈલ્સ (રાજકોટ), ટેક્ષટાઈલ/કોટન સહિતના ઉદ્યોગોને ગ્લોબલ માર્કેટમાં ટકી રહેવા માટે નવલખી બંદરે ઓછામાં ઓછા ૧૨ મીટરના ઊંડા દરિયાઈ પાણી મળી રહેતા હોય તે જગ્યાએ જેટીનું નિર્માણ કરવું જોઈએ અને કન્ટેનર લોડીંગ અન લોડીંગની સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ હાલ મોરબીથી સિરામિક વગેરે તેમજ રાજકોટથી ઓટો મોબાઈલ્સ અને અન્ય કન્ટેનરો કંડલા અને મુન્દ્રા પોર્ટથી આયાત નિકાસ થાય છે તેના બદલે નવલખીથી થાય તો ઉદ્યોગકારોને લોજીસ્ટીક ચાર્જીસમાં ઘટાડો થાય, ગ્લોબલ માર્કેટમાં ટકી રહે અને ઉદ્યોગ ધંધાનો વિકાસ થાય તેમ છે. 




Latest News