જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના લવણપુર ગામે માનસિક બીમારીથી કંટાળીને યુવાને કર્યો આપઘાત


SHARE













માળીયા (મી)ના લણપુર ગામે માનસિક બીમારીથી કંટાળીને યુવાને કર્યો આપઘાત

માળીયા મીયાણા તાલુકાના લણપુર ગામે રહેતા યુવાનને માનસિક બીમારી હોય તેનાથી કંટાળીને તેણે પોતે પોતાની જાતે ઘરમાં પોતાનો રૂમ અંદરથી બંધ કરી દીધો હતો અને ત્યારબાદ યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ યુવાનના મૃતદેહને માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના લણપુર ગામે રહેતા કાદરભાઈ હારુનભાઈ કમોરા (40)એ પોતે પોતાના ઘરની અંદર રૂમનો દરવાજો બંધ કરીને છતના પતરાની લોખંડની એંગલ સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ અંગેની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ મૃતક યુવાને તેની માનસિક બીમારીથી કંટાળીને અંતિમ પગલું ભર્યું છે તેવું તેના પરિવારજનો પાસેથી જાણવા મળતા પોલીસે તે અંગેની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધનું મોત

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ક્રાંતિજ્યોતમાં રહેતા મનસુખભાઈ દેવજીભાઈ વડસોલા (65) નામના વૃદ્ધની તબિયત લથડી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને જતા હતા ત્યારે રસ્તામાં વૃદ્ધનું મોત નીપજ્યું હતું જેથી મૃતકના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બંબનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News