જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન રોડેથી કોહવાય ગયેલ હાલતમાં મળી આવેલ મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ


SHARE













મોરબીના ખોખરા હનુમાન રોડેથી કોહવાય ગયેલ હાલતમાં મળી આવેલ મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ

મોરબી તાલુકાના બેલા ગામ પાસે ખોખરા હનુમાન રોડ પર જીઇબી સબ સ્ટેશન પાછળ ખરાબામાંથી ડીકમ્પોઝ  હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું હતું જો કે, મૃતકની હજુ સુધી કોઈ ઓળખ મળેલ નથી જેથી મૃતક યુવાનની કોઈ પણ ઓળખ હોય તો તેને મોરબી તાલુકા પોલીસનો સંપર્ક કરવા માટે પોલીસે અપીલ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા ગામ પાસે ખોખરા હનુમાન રોડ પર જીઇબી સબ સ્ટેશન પાછળ ખરાબામાંથી ડીકમ્પોઝ  હાલતમાં મરણ જનાર અજાણ્યો પુરૂષ જેની અંદાજિત ઉપર 30થી 35 વર્ષ છે તેની લાશ તા 17/3/25 ના રોજ મળી આવી હતી જેથી કરીને બનાવ સ્થળે ઇન્કવેસ્ટ કાગળો કરી પોસ્ટમોર્ટમ માટે લાશને પ્રથમ મોરબી સરકારી હોસ્પીટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાર બાદ લાશનુ પોસ્ટમોર્ટમ રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ફોરેનસીક પીએમ કરાવવામાં આવ્યું હતું જો કે, મૃતક યુવાનની હજુ સુધી કોઈ ઓળખ મળેલ નથી જેથી આ અંગેની તપાસ કરી રહેલા ફિરોજભાઈ સુમરાના મોબાઈલ નંબર 99790 19944 કે પછી તાલુકા પોલીસ સ્ટેશનના ફોન નંબર 02822 242592 ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News