વાંકાનેરમાં ગર્ભ સંસ્કાર માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો, સગર્ભા મહિલાઓને પૌષ્ટિક કીટનું વિતરણ કરાયું
મોરબી-માળીયા તાલુકામાં ખોવાયેલા 23 મોબાઈલ શોધીને ડીવાયએસપીના હસ્તે પરત આપવામાં આવ્યા
SHARE
મોરબી-માળીયા તાલુકામાં ખોવાયેલા 23 મોબાઈલ શોધીને ડીવાયએસપીના હસ્તે પરત આપવામાં આવ્યા
મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના આપેલ છે જેથી ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પીઆઇ એન.એ.વસાવા, માળીયા પીઆઇ આર.સી.ગોહિલ, તાલુકા પીઆઇ એસ.કે.ચારેલના સુપરવિઝન હેઠળ મોરબી જીલ્લાના અરજદારોના ખોવાયેલ/ ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા કામ કરવામાં આવી રહ્યું હતું અને બી ડિવિઝનના દેવાયતભાઇ રાઠોડ, માળીયાના રાજદિપસિંહ ઝાલા તથા તાલુકાનાં શોભનાબેન મેરએ "CEIR" પોર્ટલનો ઉપયોગ કરી "CEIR" મા એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કર્યું હતું અને 23 જેટલા મોબાઈલ ફોન જેની આસરે કિંમત 3,40,486 થાય છે તે શોધીને ડીવાયએસપી પી.એ.ઝાલાના હસ્તે મૂળ મલીકને પરત આપેલ છે.