મોરબીમાં રામ નવમીના દિવસે ભવ્ય શોભાયાત્રા માટે સનાતન હિન્દુ સમાજનું આયોજન
વાંકાનેરમાં ગર્ભ સંસ્કાર માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો, સગર્ભા મહિલાઓને પૌષ્ટિક કીટનું વિતરણ કરાયું
SHARE
વાંકાનેરમાં ગર્ભ સંસ્કાર માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો, સગર્ભા મહિલાઓને પૌષ્ટિક કીટનું વિતરણ કરાયું
વાંકાનેરમાં ઘટક-૨ દ્વારા સત્સંગ હોલ, ભાટિયા સોસાયટી ખાતે ગર્ભ સંસ્કાર માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે સગર્ભા મહિલાઓને ગર્ભ સંસ્કાર બાબતે અમુલ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા ગાયત્રી મંત્ર અને ઓમકારનું ઉચ્ચારણ કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તેમજ આઈ.સી.ડીસ.એસ. ના તમામ સ્ટાફ ઉપસ્થિત રહી સગર્ભા બહેનોને પોષણ અને આરોગ્ય બાબતે સૂચનો આપ્યા હતા. આ કાર્યક્રમમાં સર્ગભા બહેનોને દાતાઓ દ્વારા પૌષ્ટિક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું .